અધૂરપ...એક નિબંધ..!
પૂર્ણ થવા માટે જીવન ની રાહ પર કંઈ કેટલું સહેવું પડે છે, જેમ નદી કેટકેટલીય મુશ્કેલી સહી પવિત્રતા પામે છે.પૂર્ણ નદી સ્વરૂપે વહે છે ત્યારે પવિત્ર કહેવાય છે.સ્ત્રી પણ એક અબળા, ચુપચાપ દુખ સહી લેનારી, નોકરી કરી ,ધરમાંઆવી ઘરકામ કરનારી ,બધાના સમય સાચવાનારૂ યંત્ર. એમા ઈંધન પૂરૂ થાય એટલે કયા જાય..।ત્યારે એને પ્રેમ જોઈતો
હોય છે ને તે એ કયા તો પતિ,બાળક,સખી
કે સહવાસી પાસે શોધે છેને એને ન મળે ત્યારે
તે પામે છે અધૂરપ...
આપણો સમાજ હવે સમજી ગયો છે કે ખભે ખભો મેળવી સરખા પણું ધરાવતી આ
શિક્ષિત સોસાયટીમાં હવે સ્ત્રી નું અસ્તિત્વ
એક પુરૂષથી ઓછું નથી.બધુ સમજતી સ્ત્રી
જાણી સકે છે કે પુરૂષ એને સમજી ગયો છે
પણ સ્વીકારી નથી શક્યો. તેથી સંજોગો આવે
ત્યારે સ્ત્રીને નીચી દેખાડવાનું ચૂકતો નથી.એ પૂર્ણતા ચૂકી ગયેલી અધૂરપ.
મહાવીર સ્વામી પત્ની નેત્યાગીને તપ આચરી જૈન ધર્મ શરૂ કર્યો તિર્થંકર કહેવાયા,બુધ્ધે તો યશોદાને
પુત્ર બન્ને નો ત્યાગ કરી કરૂણા આદરી, લક્ષ્મણે ઉર્મિલાનો ત્યાગ કરી ભાતૃપ્રેમ પામ્યા.આમ સ્ત્રી ત્યક્તા બની છતા તવારીખ
યાદ કરતી નથી.પુરૂષને જન્મ આપનારી નારી
આજે સમોવડી બનવા હજુ પણ હાંફે છે,અગ્નિ
પરીક્ષા આપે છે. પૂર્ણ થવા પ્રયત્ન કરે તો પણ અધૂરપ ને જ પામે છે.શા માટે?આનો જવાબ તો આજે નરેન્દ્ર મોદી પાસે પણ
નથી .એમણે પત્ની નો ત્યાગ કર્યો છે.દેશ
માટે..બાપૂ એ કસ્તૂરબાનો નહિ પણ લગ્ન
કરી તેમના બાળકો તરફ દુર્લક્ષ કર્યુ દેશ-
માટે અરે બાને મા થવા દીધા હોત તો પણ
આ અધૂરપ ન જ રહેત...આમ અધૂરપને
પૂર્ણ કરવા ક્યો પુરૂષ દાવો કરે છે કે મે
મારી અર્ધાગિની ને પૂર્ણતા દક્ષી છે. જયા
જાઉ છુ ત્યા હમણા શ્રીદેવી ની ચર્ચા થી
વાત સરૂ થાય છેને અંત ,અહિ બોલાય છે
તે બોની કપૂરની બીજીવારની પત્ની હતી
કેવી અધૂરપ..અતિ પ્રેમ છતા..સ્ત્રીનો પૂર્ણતા
નો સંતોષ..કયા?
મન ને મનાવા સ્ત્રી જ્યારે વડાપ્રધાન પણ
બની જાય તો પણ અનુભવે છે અધૂરપને.સ્ત્રી
ક્લિયોપેટ્રા રૂપે કે ટ્રોયની હેલન રૂપે પણ હોય
તો પણ સમાજે તો એને વિનાશ નું કારણ ગણાવી.કેવી અધૂરપ બિરાજી મહારાણી રૂપે
ગણાય વિનાશીની...!
રાધા કૃષ્ણની પણ કદીન પામી પૂર્ણતા..સખી જ કહેવાય. મીરા વિરહ પામી
પણ મનથી કૃષ્ણની..દ્રૌપદી પાંચ પતિ ની પટરાણી પણ ભર દરબારે ચીર હરણ થયા
સ્ત્રીની કેવી અધૂરપ..તવારીખ લખી ગઈ કે
પૂર્ણતા ન પામીને ...સીતાને ચૌદ વરસના
વનવાસ પછી પણ સ્ત્રી હોવાની અગ્નિ પરીક્ષા
આપવી પડી અધૂરપ હૈયે લાગીને ધરતી મા સમાય ગઈ..ક્યા છે પૂર્ણતા?
હે શ્રી !નદી રોદ્ર બને ત્યારે વિનાશીનીબની
જાય .સ્ત્રી જગદંબા કે દુર્ગા બને તો વિનાશીની બને પણ પ્રેમ આપીને પણ “અધૂરપ”ને વરે
છે ત્યારે લાગે છે કે હજુ સ્ત્રી નિબંધ રૂપી...
“અધૂરપ” છે...!
જો જો રખે માની લેતા હુ સ્ત્રી ને અપૂર્ણ
માનું છુ તે પૂર્ણ જ છે કારણ તે “મા” છે જે
પુરૂષને પિતા બનાવે છે પણ બાળકની પાછળ હજુ પિતાનું નામ લખાય છે તે મોટી
અધૂરપ..પણ ધન્ય તેને કે જે પિતા વગર પણ
બાળકને ઉછેરે છે.ને ધન્ય તેને કે જે પિતાની
જગ્યાએ માતાનું નામ સ્વીકારે છે.છતા આધુનિક જીવનમાં પણ આજે તે બળાત્કાર કે
અન્યાય પામે છે ત્યારે તેની અધૂરપ ખૂંચે છે..!
જયશ્રી. પટેલ
૫/૩/૧૮