પરાયો છે આ દેહ, દેહ મારો નથી.
કરેલા કર્મોની કેદ આ, પણ આ કેદ કાયમ નથી.
છતા, કર્મોનાં છે બંધન, કર્મ વિના છૂટતા નથી.
કર્મો થકી જ કપાશે આ બંધન, માનવદેહ વારંવાર મળતો નથી. ફરજ બજાવે સૌ નેક બની ફરજ વીના મુક્તિ નથી.
પતિ પત્ની અને બાળકો આ વૈભવ ક્ષણિક છે. ચિર સ્થાયી નથી.આત્મા જ અમર છે. મોહ રાખવા જેવું કાઈ નથી. ફરજ મુકી બનું વૈરાગી, પણ વૈરાગે મુક્તિ ની ખાત્રી નથી. મુક્તિ મળે સદ્કાર્ય થકી. ગુરુ વિના એ શકય નથી. ગુરુ જ અક્ષર બ્રહ્મ છે, ગુરુ ચિંધ્યાં માર્ગે ચાલવું, જોખમ નથી. ગુરુ વિના મુક્તિ નથી.
ગુરુ પૂર્ણિમા ની સૌને શુભ કામના.?
.