Gujarati Quote in Quotes by Rajesh Patel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંચજો અને જીવન માં ઉતારવા જેવા ....

આચાર્ય પરમ પૂજ્ય પ્રભોધચંદ્રસૂરિ એ કહેલા આ ૧૦ સુવાક્યો.?

1. ?જયા સુધી ચુપ રહીને બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે દુનિયાને સારા લાગીએ છે... પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે...

2. ?દુનિયા સાથે લડી લેનારા ઘરઆંગણે જ હારી જતાં હોય છે...

3. ?હ્રદય થી નમવું જરુરી છે સાહેબ… ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા...

4.?’મદદ' એ ખૂબ જ ' મોંધી 'ભેટ છે, તેથી દરેક પાસેથી તેની ' અપેક્ષા ' રાખશો નહિ. કારણકે ખૂબ જ ઓછા લોકોના હ્દય ' શ્રીમંત ' હોય છે…

5.?વૃત્તિ શ્રેષ્ઠ હોય તો..કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની

6?વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો..

7?પીરસાયેલાં ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોયીએ ત્યારે... કેટલાક લોકો સુકા રોટલા માટે ભગવાનનો આભાર માનતા હોય છે.

8?સાવ સરળ શબ્દ, "સમજણ" કાનો માત્રા કયાં છે? છતાં, બધામાં નથી હોતી.

9?દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે, તો જમીન પર આટલી ભીડ કેમ છે…

10?પરિવારમાં જે વ્યક્તિ સમજદાર, લાગણીશીલ, જતુ કરવાની ભાવનાવાળો, તેમજ ગમ ખાઇ જનાર હોય, તેનેજ પરિવાર ના અન્ય સભ્યો નકામો ગણી હાંસી ને પાત્ર બનાવે છે.પણ હકીકતમાં એ જ વ્યક્તિ નાં કર્મ ને કારણે જ પરિવારનાં અન્ય સભ્યો સુખી અને સંપન્ન હોય છે...!
??????✅✅✅

Gujarati Quotes by Rajesh Patel : 111191290
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now