નસીબદાર છીએ કે ઈશ્વરએ માનવ જીવન જીવવાનો મૌકો આપ્યો....
ભગવાન આપણને માનવ રૂપે ધરતી પર મોકલી દે. પણ ધરતી પર ભગવાનથી પણ વધારે ઊંચા હોય એ આપડા માતાપિતા.
નાના બાળ સ્વરૂપે જન્મ લીધા પછી એની સંભાળ એનું પાલન કરનાર માતાપિતા હંમેશા બાળક માટે પરોપકારી હોય છે.
સ્વનું ભૂલી ને પોતાના સંતાનો માટેજ જીવન જીવતા હોય છે.
બાળકની નાના માં નાની ઈચ્છા તેઓ પૂરી કરતા હોય છે.
ભણવા, ફરવા, શોખ થી માંડી જીદ બધું જ માબાપ જ પૂરું પાડે છે.
બાળકનો ગુસ્સો, ચિડીયાપણું, જીદ, ના સમજી, ખરાબ વર્તન... વગેરે પણ માબાપ માફ કરી દે છે.
આ દુનિયા માં નિસ્વાર્થ પ્રેમ ફક્ત માબાપનો જ હોય છે.