Gujarati Quote in Blog by Raj Pethani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Mother's day Special - આવી માતાને વંદન છે.

(માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય.)

મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો: "રજપૂત, હું માગું તે દેશો ? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો."

એભલ વાળો બોલ્યો : "ભલે બારોટ ! પણ જોઇ વિચારીને માગજો, હો !"

બારોટ કહે : "બાપા, તમને પોતાને જ માંગું છું ."

એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્યા: “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો ? મારી ચાકરી તારાથી શી રીતે થશે ? તેં આ કઇ રીતની માગણી કરી ?”

બારોટે તો પોતાની માગણી બદલી નહિ, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી એક નાના દીકરાને સોંપીને બારોટની સાથે ચાલી નીકળ્યા.

રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”

બારોટે હસીને કહ્યું :”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”

એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:

”અરે ગાંડા, આ તું શું કહે છે ? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ ?”

બારોટ કહે:” કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપારાજ વાળા જેવો વીરનર જન્માવવો છે, દરબાર !”

એભલ વાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું: "પણ બારોટ, તારા મારવાડમાં ચાંપારાજની માં મીનળદેવી જેવી કોઇ જડશે કે ? ચાંપારાજ કોને પેટે અવતરશે ?"

“કેવી માં ?”

“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનો હતો તે વખતે હું એક દિવસ રાણીવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમતો હતો. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઇ ગયું. ચાંપરાજની માં બોલ્યાં: હાં,હાં, ચાંપરાજ દેખે છે, હો !”

“હું હસીને બોલ્યો : ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે ? ‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રાણીવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માંએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો, બારોટ ! આવી સતી મારવાડમાં મળશે ?”

નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.”

“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”

સંતાનને જન્મ આપી માતા બની જવું સરળ છે. પણ માતાની અંદર માતૃત્વનું પ્રગટીકરણ થવું એ એક સાધના છે.

ચાંપરાજ વાળાનું નામ સાંભળી દુનિયાની દરેક સ્ત્રીને મન થાય કે મારી કુખે ચાંપરાજ જેવું સંતાન અવતરે. પણ એના માટે મીનળ દેવી જેવું માતૃત્વ ધારણ કરવું પડે.

~ રાજ પેથાણીના જય સ્વામિનારાયણ

#planetraj

Gujarati Blog by Raj Pethani : 111167386
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now