મારી એકલતા ની બારી એ થી
નિહાળું વિતેલા સમય ને
કરું લેખા જોખા ભુતકાળ ના
થોડી ફરિયાદો, થોડી પીડા
નીકળે ભુતકાળ માંથી ને
સ્નેહ અને ઉન્માદ ની ક્ષણો
થઈ જાય તાજી તાજી
શું મેળવ્યું ને શું ગુમાવ્યું
તે કોને ખબર બસ જે
રહી ગયું દિલ માં કાયમ
તે સ્નેહ જ છે સત્ય
મારી એકલતા ની બારી એ થી
નિહાળું વિતેલા સમય ને
ત્યારે ન થાય કોઈ અફસોસ
બસ જે જિવાયું ને મળ્યું
તેનો રહે છે સંતોષ ..