ગરજે જો સિંહ તો ભાગી શકાય છે ...પણ કોઈનો અહંકાર ગરજે તો હું. શું કરું ?
વરસે જો આભ અનરાધાર તો છત્રી લઈ લઈએ... પણ નયન જો વરસે અવિરત તો હું શું કરું ?
ખૂંચે કાંટો જો પગ માં તો કાઢી ય લઈએ... પણ વાત ખૂંચે જો કોઈની મન માં તો હું શું કરું ?
હોય જો પીડા તન ની તો દવા ખાઈ લઇયે.. પણ મન ની વેદનાનું હોય જો દર્દ તો શું કરું ?
મળે જો સામા રસ્તા માં તો બોલાવી લઈએ .. પણ રસ્તો જ જો એ બદલે તો હું શું કરું ?......... પારુલ ઠક્કર