" દિપાવલી સંદેશ "
આપણું ભાવ જીવન ખીલે અને જીવનવિકાસની દ્રષ્ટિ મળે તે માટે સંસ્કાર કરવાનો ઉત્સવ.
(1) ધનતેરસ - લક્ષ્મીપૂજન.
" પ્રભુ " આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે - અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે - વિત્ત
પરાર્થે વપરાય તે - લક્ષ્મી
પ્રભુ કાર્યાર્થ વપરાય તે - મહાલક્ષ્મી.
(2) કાળી ચૌદશ - શકિતપૂજન.
વિચાર કરવાનો દિવસ કે " મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
મારી વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે ?
પરપીડન માટે વપરાય તે - અશકિત(આસુરી શક્તિ).
સ્વાર્થ માટે વપરાય તે - શકિત.
રક્ષણાર્થે વપરાય તે - કાલી.
પ્રભુકાર્યાર્થ વપરાય તે - મહાકાલી.
(3) દિવાળી - જ્ઞાનપૂજન
(શારદાપૂજનનો દિવસ).
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ.
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિશ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?
(4) બેસતુ વર્ષ - ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ.
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાર્થે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ.
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
" પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભુ માટે ".
(5) ભાઈ બીજ - ભાવ પૂજન.
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ.
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે.
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.
(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)