#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...
પેરાલીસીસ.....
હા, પેરાલીસીસ થાય ગમે ત્યારે ગમે તેને પણ...
એ થાય છે આંખ ને નઝર ને ક્યારેય નહીં,
એ થાય છે હાથ ને સ્પર્શ ને ક્યારેય નહીં,
એ થાય છે પગ ને તાકાત ને ક્યારેય નહીં,
એ થાય છે મુખ ને સ્મિત ને ક્યારેય નહીં,
એ થાય છે મસ્તિષ્ક ને વિચારો ને ક્યારેય નહીં,
એ થાય છે છાતી ને ધબકારા ને ક્યારેયનહીં,
એ થાય છે ઉદર ને ભૂખ ને ક્યારેય નહીં,
એ થાય છે પણ માત્ર ને માત્ર તન ને જ,
મન ને ક્યારેય નહીં,
મન તો હંમેશા વિહરતું રહે છે ખુલ્લા ગગન માં...
#સાંઈ સુમિરન...