અંતિમ દિવસ શ્રાવણનો
મળ્યાં કેટલાંય સંદેશાઓ આજે,
છે છેલ્લો દિવસ શ્રાવણનો,
મળ્યો ન હોય જો સમય,
ભજવાનો શિવને,
ભજી લો આજે ભોળાનાથને!
કેમ કરી સમજાઉં એમને,
એટલે જ તો છે એ ભોળાનાથ,
ક્યાં રાહ જુએ છે ભક્તની,
ક્યારે આવે ને ભજે એમને?
હાલતા ચાલતાં જ્યારે
લઈ લો શિવનું નામ,
રાજી થઈ જાય આ ભોળાનાથ.
નથી જરુર કોઈ શ્રાવણની,
કે નથી જરુર કોઈ સોમવારની!
ભજો નિઃસ્વાર્થભાવે,
થઈ જાય ખુશ ભોળાનાથ!
હર હર મહાદેવ🙏🙏🙏
- Tr. Mrs. Snehal Jani

Gujarati Religious by Tr. Mrs. Snehal Jani : 111948987
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now