ક્રોધની જીત :----
પાંડવો અને કૌરવોના ગુરુ આચાર્ય દ્રોણ હતા .તેઓ વિદ્યાર્થીઓને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપતા .એક દિવસ વિદ્યાર્થીઓને તેમણે ‘ ક્રોધને જીતો ‘ નામનો પાઠ ભણાવ્યો .પાઠમાં આવતા વિવિધ વાક્યો બાળકોને કંઠસ્થ કરવા કહ્યું.
બે – ત્રણ દિવસ બાદ તેમણે વિદ્યાર્થીઓને પાઠ અંગે પુછ્યું . ભીમ , અર્જુન , નકુલ , સહદેવ , વિકર્ણ , દુર્યોધન બધાને આ પાઠ પાકો હતો . એક માત્ર યુધિષ્ઠિરે કહ્યું , ‘ ગુરુદેવ , મને પાઠમાં હજુ કચાશ લાગે છે .’
બે – ત્રણ દિવસ બાદ ફરીથી ગુરુજીએ યુધિષ્ઠિરને કહ્યું . યુધિષ્ઠિરનો એનો એ જ જવાબ . ગુરુદેવે યુધિષ્ઠિરને એક તમાચો માર્યો . ‘ આવડ્યો હવે પાઠ ?’
‘ હા ,ગુરુદેવ હવે પાઠ આવડી ગયો .’ યુધિષ્ઠિરે કહ્યું .
‘ તો કેમ તું તમાચાની જ રાહે હતો ?’
‘ હા, ગુરુદેવ ! તમે તમાચો માર્યો છતાં મને ક્રોધ નથી આવ્યો .એ જ બતાવે છે કે મને પાઠ આવડી ગયો છે .’ યુધિષ્ઠિરે કહ્યું.
ગુરુદેવ ખૂબ જ ખુશ થયા . તેમની આંખોમાંથી પ્રેમનાં આંસુ પડવા લાગ્યાં .
ગુરુદેવે આજે સૌને એક નવો પાઠ ઉદાહરણ દ્વારા શીખવી દીધો .
ક્રોધની ઉપર જીત મેળવવા માટે સહનશક્તિ , વિચારશક્તિ , સત્ય , પ્રેમ જેવા ગુણો આપણે વિકસાવવામાં સફળતા મેળવી શકીશું તો જ ક્રોધવિજય જેવો ગુણ પણ આપણામાં આપોઆપજ વિકસતો જોવા મળશે.
🙏