Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્રોધની જીત :----

પાંડવો અને કૌરવોના ગુરુ આચાર્ય દ્રોણ હતા .તેઓ વિદ્યાર્થીઓને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપતા .એક દિવસ વિદ્યાર્થીઓને તેમણે ‘ ક્રોધને જીતો ‘ નામનો પાઠ ભણાવ્યો .પાઠમાં આવતા વિવિધ વાક્યો બાળકોને કંઠસ્થ કરવા કહ્યું.
બે – ત્રણ દિવસ બાદ તેમણે વિદ્યાર્થીઓને પાઠ અંગે પુછ્યું . ભીમ , અર્જુન , નકુલ , સહદેવ , વિકર્ણ , દુર્યોધન બધાને આ પાઠ પાકો હતો . એક માત્ર યુધિષ્ઠિરે કહ્યું , ‘ ગુરુદેવ , મને પાઠમાં હજુ કચાશ લાગે છે .’
બે – ત્રણ દિવસ બાદ ફરીથી ગુરુજીએ યુધિષ્ઠિરને કહ્યું . યુધિષ્ઠિરનો એનો એ જ જવાબ . ગુરુદેવે યુધિષ્ઠિરને એક તમાચો માર્યો . ‘ આવડ્યો હવે પાઠ ?’
‘ હા ,ગુરુદેવ હવે પાઠ આવડી ગયો .’ યુધિષ્ઠિરે કહ્યું .
‘ તો કેમ તું તમાચાની જ રાહે હતો ?’
‘ હા, ગુરુદેવ ! તમે તમાચો માર્યો છતાં મને ક્રોધ નથી આવ્યો .એ જ બતાવે છે કે મને પાઠ આવડી ગયો છે .’ યુધિષ્ઠિરે કહ્યું.
ગુરુદેવ ખૂબ જ ખુશ થયા . તેમની આંખોમાંથી પ્રેમનાં આંસુ પડવા લાગ્યાં .
ગુરુદેવે આજે સૌને એક નવો પાઠ ઉદાહરણ દ્વારા શીખવી દીધો .
ક્રોધની ઉપર જીત મેળવવા માટે સહનશક્તિ , વિચારશક્તિ , સત્ય , પ્રેમ જેવા ગુણો આપણે વિકસાવવામાં સફળતા મેળવી શકીશું તો જ ક્રોધવિજય જેવો ગુણ પણ આપણામાં આપોઆપજ વિકસતો જોવા મળશે.
🙏

Gujarati Quotes by Umakant : 111760295
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now