જયારે કોઈ ઘર માં એક પરણિત પુરુષ ( કે જે કોઈ નો દીકરો કે ભાઈ છે) અમુક નિર્ણયો પોતાની જાતે લેવાં માંડે છે પોતાનાં વડીલો ને પૂછ્યા વગર પોતાની બુદ્ધિ થી ત્યારે લાગતા વળગતા ની સલાહ આવવાં માંડે છે કે બાયું ( તેની પત્ની)ની ભુદ્ધી થી કામ લેશો તો આગળ નહી આવો.વળી આવી સલાહ આપવા વાળા બાયું જ હોય 😂. અને આ બાબત નો ખ્યાલ આવતા એ સ્રી ઘર ના કોઈ પણ નિર્ણયો માં બોલવાનું બંધ કરે અને તે ફકત પોતાનાં બાળકો અને પતિ માટે વિચારવાનું શરૂ કરે ત્યારે એ જ સલાહ આપવા વાળા ને માંઠું લાગે કે તારી બાય એ પૂછ્યું નહી કે કીધું નહી. જ્યારે તમારાં નબળાં સમય માં એ સ્રી એ સાથ આપ્યો હોઈ અને એ કોઈ ખોટી વાત નો વિરોધ કરવા જાય ત્યારે જો તમને બાયું ની બુદ્ધિ યોગ્ય ના લાગતી હોય તો તમને અમુક અમુક બાબત મા એ ડહાપણ બતાવે એવો આગ્રહ હોવો યોગ્ય છે? એની કદર નથી કરતા કાઈ વાંધો નહીં પણ એના કારણે જ બઘું થયું એમ કહેવા પછી એની પાસે થી ડહાપણ ભર્યા વ્યવહાર ની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય??