Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય: "રાજકારણ ગંદુ કીચડ કે કીચડમાં ખીલેલું કમળ"

પ્રકાર: અછાંદસ કાવ્ય

શીર્ષક: દ્રષ્ટિ અને દાવ

લોકો કહે છે, આ તો 'ગંદુ કીચડ' છે,
જ્યાં ખાદીના શ્વેત વસ્ત્રો પર,
ઊડે છે છાંટા—આક્ષેપોના,
અને દાગ લાગે છે—ઈમાનદારી પર.

અહીં પગ મૂકતા પહેલાં સો વાર વિચારવું પડે,
કારણ કે આ લપસણી જમીન છે,
જ્યાં સિદ્ધાંતો લપસી પડે છે,
અને સ્વાર્થનું સંતુલન જાળવવું પડે છે.

અહીં કોઈ મિત્ર નથી ને કોઈ શત્રુ નથી,
બસ, સમય અને સંજોગના સોગઠા છે.
આ એવું અંધારું ભોંયરું છે,
જ્યાં સત્તાની મશાલ લઈને સૌ ભટકે છે.

પણ...

થોડું અટકીને, ઉંડા શ્વાસ લઈને જોયું,
તો સમજાયું...
કે કમળને ખીલવા માટે,
આ જ કાદવ અનિવાર્ય છે!

જો કાદવ ન હોત,
તો કમળની પવિત્રતાનો અર્થ શું હોત?
ભ્રષ્ટાચારની દુર્ગંધ વચ્ચે જ તો,
પ્રમાણિકતાની સુગંધ પરખાય છે.

એક સાચો લોકનાયક એ જ છે,
જે કાદવમાં ઉગે છે, કાદવથી પોષાય છે,
છતાં...
પોતાની પાંખડીઓ પર,
કાદવનું એક ટીપું પણ ટકવા દેતો નથી.

રાજકારણ પોતે ક્યાં કશું છે?
એ તો માત્ર એક આરસો છે.
જો જોનારની દાનત મેલી, તો એ 'કીચડ',
અને જો જોનારની નિયત સાફ,
તો એ જ કીચડમાં ખીલેલું... 'આશાનું કમળ'.

નિર્ણય તો આપણે કરવાનો છે, "સ્વયમ્'ભૂ"
કે આપણે કીચડથી ડરીને કાંઠા પર બેસવું છે?
કે કમળ બનીને કાદવને સુધારવો છે?

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 112013164
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now