Quotes by sangeeakhil in Bitesapp read free

sangeeakhil

sangeeakhil Matrubharti Verified

@sangeeakhil
(98)

ઈજ્જત ઉતારનારને જ્યારે તમારે સોરી કહેવું પડે,
ત્યારે સમજી જવાનું કે તમારી કોઈ ઈજ્જત નથી.
#લાઈફ_ઓફ_રૂલ્સ #કવિ #સંગીઅખિલ

Read More

પેપર લિક થાય છે કે લિક કરાવવામાં આવે છે ?

56ની સાતી સીટ જીતવામાં નહી પણ પેપર લિંક થતા અટકાવવા બતાવવાની જરૂર છે. ગઈ 8 ડિસેમ્બરે ગુજરાતની જનતાએ 182માંથી 156નું પરિણામ આપ્યું હતું અને સરકારે તેનું પહેલું પરિણામ પેપર લિક કરીને ગુજરાતની જનતાને આપી દીધું છે.

સવાલ એ છે કે પેપર લિક થઈ જાય છે કે પછી પેપર લિક કરાવવામાં આવે છે ? પેપર લિક કરાવવાથી લાખો, કરોડો, અબજો રૂપિયા લેવામાં આવે છે. આ કામ કોઈ નાનો માણસ તો ના જ કરી શકે એ ગુજરાતના લોકો સારી રીતે જાણે છે, અને તે શક્ય પણ નથી. આની પાછળ કોઈ મોટી શક્તિ (તાકાત) અવશ્ય છે. આ કામ કરવા પાછળ વ્યક્તિ અને વિસ્તાર બદલાય છે પણ તાકાત તો તેની તેજ રહે છે.

પેપર લિક કૌંભાડ છે કે પછી કલાકારી છે તે સમજવું મુશ્કેલ છે. લોકોની નજરમાં કઈક અલગ બતાવવામાં આવી રહ્યું છે, અને પડદા પાછળ કઈક અલગ ચાલી રહ્યું છે. આ પડદા પાછળ કોણ છે તે કયારેય નજરમાં નહી આવે. કારણે કે પડદા પાછળના કલાકારો પડદાની આગળ આવી જશે તો પડદાની આગળ રહીને કામ કરવાવાળોનો ધંધો ભાગી જશે. પુરી સરકાર ભાગવાનો પણ સમય આવી જશે. સરકાર સારી રીતે જાણે છે કે છોકરાઓને કેવી રીતે સમજાવવાના છે. India: The Modi Question Documentary Teaming and Skinning થતી રોકાય શકે છે તો પેપર લિક થતા કેમ રોકાય શકતા નથી ?

કોઈપણ અધિકારીની બદલી શા માટે કરવામાં આવે છે ? તે જેતે જગ્યાએ મુકવામાં આવ્યો છે તેનાથી તે પુરેપુરો વાકેફ થઈ ગયો હોય છે તેના કારણે તેને વહિવટ કરવામાં સરળતા રહે છે. તેથી સમય અંતરે સમય અંતરે તેની બદલી કરવી જરૂરી બની જાય છે. ગુજરાતની જનતાએ છેલ્લા ઘણા વર્ષોથી સરકારની બદલી કરી નથી. તેનું પરિણામ આ આવવાનું જ હતું. આ વાક સરકારનો કે ગુજરાતની જનતાનો ? ગુજરાતની સિસ્ટમ ચડી ગઈ છે તેને ફેકીને નવી સિસ્ટમ લાવવી જ પડેશે.

ગુજરાતનો વિદ્યાર્થી મત આપવા નથી જતો અને પેપર આપવા જાય છે તેનું આ પરિણામ છે. ગુજરાતનો વિદ્યાર્થી એક પેપરની કિંમત સમજે છે પણ એક મતની કિંમત સમજ તો નથી તેનું આ પરિણામ છે.

BY A. M Kamejaleeya

Read More

#શાંતિની શોધમાં સ્મશાન સુધી

સ્મશાનમાં સમાચારપત્ર શાંતિથી વાંચી શકાય છે. સમશાન જેવી શાંતિ કદાચ ક્યાંય નથી. અહી એટલી શાંતિ હોય છે કે માણસ બળીને રાખ થઈ જાય છે, અને તેને પોતાને જ ખબર નથી રહેતી, એટલો તે શાંતિથી સુતો હોય છે. માણસને પોતાના પૈસાનો, પાતાના રૂપનો, પોતાના જ્ઞાનનો, પોતના બાહુબળનો અને પોતાની સાથે જોડાયેલા લોકોનો તેને એટલો અભિમાન હોય છે કે પોતાના કર્મો સારા કરવા કે ખરાબ તેને પોતાને ભાન નથી રહેતું. પોતાની ઈચ્છાઓને અને સુખ-સુવિધાઓને જ પોતાનું સુખી જીવન સમજી બેસે છે.
જીવનની છેલ્લી યાત્રા એટલે સ્મશાન યાત્રા. આ એક જ એવી યાત્રા છે જ્યાથી તે જાય છે લોકોની સાથે પણ તે ત્યાંથી કયારેય પાછો ઘરે આવતો નથી. આ એક એવી યાત્રા હોય છે લોકોની આંખોમાં આસું હોય છે, અને તે શાંતિથી એકદમ અલમસ્ત સુતેલો હોય છે. આ યાત્રા જેવી તેવી નથી હોતી વિધિવત્ત હોય છે. સમશાનમાં સુવારી બ્રહ્માણને સાથે રાખીને વિધિ કરવામાં આવે છે. આ યાત્રાની માઝા લેવા માટે માણસે એકવાર તો મરવું જ પડે છે, તો જ તે આ યાત્રાની શાંતિનો અનુભવ કરી શકે છે.
ગયા શનિવારે (21/01/2023) હું શાંતિની શોધમાં નિકળેલો, નજીકમાં આવેલા વાડજ સમશાન ગૃહે પહોચી ગયો. કોઈએ મને કહ્યું હતું કે સમશાન જેવી શાંતિ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. મારી આંખની સામે ચિંતાઓ સળગતી હતી. અને જે સમશાન યાત્રામાં આવ્યા હતા તેમાથી મોટા ભાગના લોકો પોતાનો મોબાઈલ ઘુમડતા હતા. અમુક લોકો હસ્તા હતા. મને એ નહોતું સમજાતું કે જે માણસ બળી રહ્યો છે તેના જવાથી આ લોકો ખુશ થયા છે કે પછી દુઃખી થયા છે ? જો તમારે પણ શાંતિની શોધમાં જવું હોય તો સમશાન સુધી જઈ આવજો, તમને ચોક્કસ શાંતિની અનુભુતી થશે. તમે કેટલા વાસ્તવિક સુખી છો તેનો એહસાસ થશે.

By A. M. Kamejaleeya

Read More

હમ બ્લેક એન્ડ વ્હાઇટ ઈન્સાન હૈ, સાહેબ,
બાત કરના નહી, બીના બાત કરે કહેને વાલો મે સે હૈ.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ

Read More

તલવાર મેં, કલમ મેં ઓર નૈન મેં અગર,
ધાર ના હો, તો ઓ કિસી કામ કી નહી.
#લાઈફ_ઓફ_રૂલ્સ #કવિ #સંગીઅખિલ

9. Need || જરૂરત

છોકરીને વશમાં કરવા માટે સૌથી પહેલા તેની નીડ શું છે, તે જાણી લેવી બોવ જરુરી હોય છે. જે છોકરો છોકરીની નીડ પારખી લે છે, તે આશાનીથી કોઈ પણ છોકરીને પોતાના વશમાં કરી લે છે. મોટા ભાગે તેની જરૂરિયાત શેની હોય છે. જેમ કે, એકલતાને દુર કરવી, તેની વાત માનવી, શરીર સુખની ઈચ્છા પુર્ણ કરવી, ગીફ્ટ આપવી, સારી સારી હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા લઈ જવી, મોબાઈલ કે મેસેજથી સતત તેની સાથે વાત કરવી, માગે તે લઈ આપવું, કોઈ વ્યસન હોય તો તે વસ્તુ પુરી પાડવી, વગેરે પ્રકારની એક છોકરીની જરુરીયાત રહેતી હોય છે. આ બધા પ્રકારની જે વ્યક્તિ નીડ પુરી કરશે તેની વશમાં આસાનીથી છોકરી આવી જાય છે. આ બધી પ્રક્રિયામાં પ્રેમ જેવું કશું જ હોતુ નથી, માત્ર જરુરીયાત જ હોય છે. મોટા ભાગના છોકરાઓ આવી નીડને પ્રેમ સમજી બેસે છે, જ્યારે આવો સંબંધ તુટે છે ત્યારે દુઃખ સિવાય બીજું કશું જ મળતું નથી. કારણ કે આવી જરુરીયાત કોઈ બીજો છોકરો પુરી કરવા લાગશે ત્યારે તે જ છોકરી લાત મારશે. દુર કઈ ફેકી દે છે, તમને ખબર પણ નહી પડે. સમય પ્રમાણે છોકરીની જરુરીયાત બદલાતી રહે છે. દુઃખની વાત એ છે કે આવી નીડનું પ્રમાણ દિન-પ્રતિદિન છોકરીઓમાં વધતું જાય છે.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

Read More

8. મર્યાદા

સ્ત્રીની અંદર મર્યાદા ના હોય તો તે નિવસ્ત્ર જેવી લાગે. એટલા માટે જ કહ્યું છે કે મર્યાદા એ સ્ત્રી નું ઘરેણું છે. ક્યાં ખાવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, પુરુષોની વચ્ચે કઈ રીતે વર્તવું જોઈએ, વસ્ત્રોનું પ્રદર્શન કેટલું કરવું જોઈએ. આવા બધાં પ્રશ્નોનું નિરાકરણ સ્ત્રી એ જાતે કરવાનું હોય છે. જે સ્ત્રી મર્યાદામાં નથી રહેતી તે અત્યારના સમયમાં સૌથી વધારે યુઝ થાય છે. ચાહે તે શારીરિક હોય કે માનસિક હોય કે પછી તે આર્થિક હોય. એજ્યુકેટ અને ભણેલી ગણેલી સ્ત્રી આનો સૌથી વધારે ભોગ બને છે. તેમાં પણ જે નીચી જાતિની સ્ત્રી છે તે વધારે ભોગ બની છે, અને જે ભોળી સ્ત્રી છે તે વધારે ભોગ બની છે. નામ પ્રેમનું આપવામાં આવે છે પણ કામ યુઝ કરવાનું હોય છે. નોકરીના સ્થળે એજ જોવામાં આવે છે કે કઈ સ્ત્રી કેટલી મર્યાદામાં રહે છે અને જે સ્ત્રી મર્યાદાની બહાર ગઈ પુરુષ તેનો સૌથી પહેલો શિકાર કરે છે. સ્ત્રીને તેની ખબર પણ નથી રહેતી. મર્યાદા ગઈ એટલે માની લેવાનું કે તમારી ઈમેજ ગઈ.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

Read More

6. અમદાવાદનો અંધકાર

અમદાવાદના અંધકારમાં અને નશામાં માણસને ખોવાતા વાર નથી લાગતી. માણસ પાસે દોલત અને ચોહરત આવે છે ત્યારે તે સંબંધ ને તાળા મારી દે છે. અમદાવાદની આ મોટી ખામી છે, જે નશામાં ડુબાડી દે છે અને નાશ કરી નાખે છે. ચાહે તે નશો પૈસાનો હોય કે પ્રોપર્ટીનો હોય કે પછી પ્રેમનો હોય કે નશીલા પદાર્થનો હોય. માણસને ખતમ કરી નાખે છે. તેથી જ કહેવાય છે કે માણસ પૈસાથી બધુ જ ખરીદી શકે છે પણ ઈમાનદારી નહી. કારણ કે ઈમાનદારી સંસ્કારમાંથી મળતી હોય છે. ઈમાનદાર વ્યક્તિ અંધકારમાં એકલા પડવા નહી દે. તે લડશે, ઝગડશે, બધુ કરશે પણ રહૃયના મધ્ય ભાગમાં રાખશે. તે છતા અમદાવાદ મોટા મોટા કદાવરને ગળી ગયું છે. અપ્સરાઓને પી ગયું છે. અમદાવાદના અંધકારમાં આગ ચાંપીને અજવાળું તો કરી શકાય છે, પણ તે આગ ઘણાં બધાંના ઘરો બાળીને ભસ્મ કરી નાખે છે. રડતાં અને રઝળતા કરી નાખે છે. પછી માણસ પોતાનાં જ મન ઉપર પોતાનો કાબુ ગુમાવી દે છે અને પોતાના ડિસીઝન કોઈ બીજો વ્યક્તિ લે છે. જેનું પરિણામ આપણે ભોગવવું પડે છે.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

Read More

માટીની એક કણ માટે અમે લડીએ છીએ, અને મરીએ છીએ,
સાહેબ, ઈજ્જત આબરુ ખાતર તો અમે યુદ્ધે છડીએ છીએ.
#સાહિત્યની_સફરે #કવિ #સંગીઅખિલ

Read More

અહી લગ્ન શાસ્ત્રોના મંત્રોથી થાય છે, સાહેબ,
અને છુટાછેડા સંવિધાનના કાયદાથી થાય છે.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ

Read More