{ મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે સાગર અને રેખા બંને બગીચામાંથી બહાર આવતા હોય છે. અને રેખાના પપ્પા તે બંનેને જોઈ જતા રેખાને ત્યાંથી હાથ પકડી લઈ જતા હોય છે... હવે જુઓ આગળ }
સાગર જોતો રહી જાય છે અને રેખાના પપ્પા રેખાને હાથ પકડીને લઈ ગયા...
ઘરે આવ્યા પછી રેખા કહે છે " પપ્પા સાંભળો તો ખરા "
ત્યાં જ રેખાના પપ્પા હાથ છોડીને તરત થપ્પડ મારતા કહે છે " આજ પછી તારે ક્યાંય ઘરની બહાર નીકળવાનું નથી.. "
ત્યાં જ રેખાની મમ્મી રૂમમાંથી બહાર આવતા કહે છે. " શું થયું કેમ જવાન છોકરી પર આમ હાથ ઉઠાવો છો ? "
રેખાના પપ્પા : આપણા જ લાડ પ્રેમે આને બગાડી છે. તને જરાય અંદાજો છે આને શું કર્યું છે?
રેખા : પણ પપ્પા હું તમને બધી હકીકત કહેવાની જ હતી.
રેખાની મમ્મી : શું થયું તે વાતની જાણ મને તો કોઈ કરો..
રેખાના પપ્પા : રેખાના મમ્મી રેખા ઘરેથી ખોટું બોલીને બહાર બગીચામાં કોઈ છોકરા સાથે... " બોલતા બોલતા અટકીને કહે છે. " મને તો બોલતા પણ શરમ આવે છે.
રેખાના મમ્મી રેખાને થપ્પડ મારતા કહે છે. " આ શું સાંભળી રહી છું હું.. "
રેખા : મમ્મી હું અને સાગરે બંનેને બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ..
રેખાના મમ્મી : તને અમારી ઈજ્જત કે આબરૂનો એક વખત પણ ખ્યાલ ના આવ્યો ?
રેખા : મમ્મી પપ્પા હું સાગરને ખુબ પ્રેમ કરું છું હું તેની સાથે જ લગ્ન કરીશ..
રેખાના મમ્મી : ગુસ્સામાં કહે છે. ખબરદાર એક શબ્દ પણ આગળ બોલી છે તો ચૂપચાપ પોતાના રૂમ જતી રહેંજે..અને રેખા પછી પોતાના રૂમમાં ચાલી જાય છે.
રેખાના મમ્મી રેખાના પપ્પાને કહે છે હવે રેખા માટે જલ્દીથી જલ્દી કોઈ સારો છોકરો જોઈને તેના લગ્ન કરાવી દેવા જોઈએ..
અને રેખાના પપ્પા પણ હામી ભરતા કહે છે સાચી વાત છે..
થોડા દિવસ ઘરમાં પુરાયા બાદ અને અનેકો પાબંધીઓ હોવા છતાં પણ રેખા અને સાગર એકબીજા માટે તડપતા અને પ્રેમ પત્ર લખી લેતા એકબીજાને છુપાઈને મળી લેતા હતા.. કહેવાય છે ને કે..
" प्यार कोई पहरो का महोताज नहीं होता,,
अगर सच्चा प्यार हो तो कोई पहरा नहीं रोकता..
बंदिसे भले लगाए दुनिया वाले प्यार पर,,
हर बंदीस पहरो से डर जाए वो प्यार नहीं होता.. "
આ તરફ હવે રેખાને જોવા માટે છોકરા વાળા આવવાના હતા. તેથી ઘરમાં સવારથી ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી..
રેખાની નામરજીથી બધુ થઈ રહ્યું હોવા છતાં પણ રેખા ખુશ દેખાઈ રહી હતી. અને તે સવારથી જ દરેક કામમાં પોતાની મમ્મીની હાથોહાથ મદદ કરી રહી હતી. તેથી તેના મમ્મી પપ્પાને લાગ્યું કે રેખા હવે સાગરને ભૂલી ચૂકી છે. અને પોતાના જીવનમાં આગળ વધી રહી છે.
આ તરફ એક બાજુ મહેમાન આવી રહ્યા હતા. અને રેખા પોતાના રૂમમાં તૈયાર થવા માટે જાય છે.
રેખાના મમ્મી મહેમાનોના સ્વાગત લાગી જાય છે. અને થોડીક વારમાં જ છોકરા વાળા રેખાને મળવા માટે બોલાવવા કહે છે. રેખાના મમ્મી રેખાને બોલાવવા માટે તેના રૂમમાં જાય છે. પણ તેનો દરવાજો અંદરથી બંધ હોય છે. અને ઘણો ખટખટાવા છતાં પણ રેખા દરવાજો ખોલતી નથી તેથી રેખાની મમ્મીને રેખાની ચિંતા થવા લાગે છે. અને તે તરત જ રેખાના પપ્પાને આવીને સાઈડમાં બોલાવીને કહે છે. " રેખા દરવાજો ખોલતી નથી કોઈ ગડબડ તો નહીં હોય ને "
પછી રેખાના પપ્પા પણ દરવાજો ખોલવા માટે ટ્રાય કરે છે. પણ દરવાજો ખુલતો ન હોવાથી ફરીથી બહાર આવે છે અને મહેમાનો આગળ બહાનું કરીને તે બહાર જઈને બીજા રસ્તેથી રૂમમાં જવાનો પ્રયત્ન કરે છે પણ પાછળનો દરવાજો ખુલ્લો હતો અને રૂમમાં જઈને જોયું તો રૂમમાં રેખા ના હતી. તે લોકો ઘરના બીજા રૂમમાં શોધવાની કોશિશ કરે તે પહેલા જ સામે ટેબલ પર પડેલો એક કાગળ મળ્યો. તેમાં સાફ લખેલું હતું કે..
પ્રિય મમ્મી પપ્પા..
" હું આ ઘર છોડી હમેશા માટે જઈ રહી છું. મને ખબર છે તમે ક્યારેય મારી મરજીથી મને લગ્ન નહીં કરવા દો. હું એ પણ જાણું છું કે મારા આવા પગલાથી તમારા મન પર શું વીતશે.. પણ મારો ઇરાદો તમને દુઃખી કરવાનો ન હતો. પણ હું સાગર વગર પણ જીવી શકું તેમ નથી અને તેના સિવાય બીજા કોઈની હું કલ્પના પણ કરી શકું તેમ નથી. તેથી હું મજબુર છું. મારી ચિંતા ના કરતા. મને વિશ્વાસ છે કે હું સાગર સાથે હમેશા ખુશ રહીશ. મને શોધવાની કોશિશ ના કરતા. બની શકે તો મને માફ કરવા નમ્ર વિનંતી.."
લિ. તમારી દીકરી રેખા...
રેખાની ચિઠ્ઠી વાંચીને જાણે પગ નીચેથી જમીન ખસકી ગઈ હોય તેવો ભાસ થયો.. રેખાએ આવા સમયે ઘર છોડીને ચાલી જવાનો નિર્ણય ખૂબ ખોટો લીધો હતો.
હવે આ સમયે રેખાના મમ્મી પપ્પા મહેમાનોની આગળ આવીને શું જવાબ આપવો તેની શરમમાં મુકાઈ જાય છે. પરંતુ મહેમાનોની આગળ તો જવાનું જ હતું અને તેમની આગળ જવાબ પણ આપવાનો જ હતો..
રેખાના પપ્પાએ મહેમાનો આગળ હાથ જોડીને માફી માગતા કહ્યું " માફ કરજો રેખાને આજે તેની એક સહેલીના ઘરે ઈમરજન્સી આવી ગઈ હોવાના કારણે તેને જવું પડ્યું છે તેથી તે રાત્રે મોડા આવશે.. તે આજ અચાનક ચાલી ગઈ તેથી ક્ષમા કરજો. "
મહેમાનોને પણ દાળમાં કંઈક કાળું લાગ્યું પણ .. " કાંઈ વાંધો નહીં નમસ્તે " કરીને નીકળી ગયા..
મહેમાનોના ગયા પછી રેખાના મમ્મી પપ્પા ઢીલા પડીને સોફા પર બેસી જાય છે.
રેખાની મમ્મી કહે છે કે આપણી પરવરિશમાં ક્યાં કમી રહી ગઈ હતી કે રેખાએ આવું પગલું ભર્યું.
( ખરેખર જે સંતાનોને દુઃખ વેઠીને નાને થી મોટા કર્યાં હોય છે. અને જે માતા પિતાને હંમેશા પોતાના સંતાનોની ભલાઈની ચિંતા હોય છે. અને તે સંતાન મોટા થઈને આવું પગલું ભરે છે. ત્યારે શાયદ તે વિચારતા નથી હોતા કે પોતાના મા બાપ પર શું વીતશે હશે. )
( મિત્રો રેખા ઘર છોડીને તો ચાલી ગઈ હવે આગળ કેવી રીતે લગ્ન કરે છે શું થાય છે. તે જાણીશું હવે આપણે બધા ભાગમાં.. )
ત્યાં સુધી મિત્રો વાંચતા રહો,
ખુશ રહો, સ્વસ્થ રહો,
મસ્ત રહો.. ધન્યવાદ 🙏