ગુજરાતી સાહિત્યના એક સંવેદનશીલ સર્જક
સ્ત્રીઓની પ્રતિભા નાના નાના ગામમાંથી બહાર આવે છે. નાની નાની વાતોથી તે આગળ આવે છે. પણ સ્ત્રીઓને એક સપોર્ટની જરૂર હોય છે. તો તેની પ્રગતિ દમદાર થાય છે. કોઈ હાથ પકડવાવાળું મળી રહે તો સ્ત્રી પણ એક ઉચ્ચ મુકામ ઉપર પહોંચે છે .એવું નથી કે કોઈના સાથ વગર સ્ત્રી આગળ આવી નથી શકતી આગળ આવી શકે છે પણ જ્યારે પોતાના જ ઘરના નો સાથ મળી રહે તો તેની જિંદગીમાં ચારચાંદ લાગી જાય છે. તેવી જ રીતે આપણા મહાન લેખિકા સરોજબેન પાઠકના જીવનસાથી રમણલાલ પાઠક જે પોતે પણ એક મહાન સાહિત્યકાર હતા. તેમણે સરોજબેન પાઠકની કળાને વિકસાવવા ખૂબ જ મદદ કરી . તેમને પ્રોત્સાહન આપીને તેનો જ વાર્તાસંગ્રહ બહાર પાડવા માટે પોતે જ પ્રકાશન કરતા હતા. જો આવી જ રીતે પગલે પગલે સાથ અને સહકાર મળતો રહે તો ઉડાન ભરવું સહેલું થઈ પડે છે.
માત્ર સોડા સાત સહકારની જરૂર હોય છે દરેકની અંદર એક પ્રતિભા તો રહેલી જ હોય છે પણ બહાર લાવવા માટેની તેની પાસે કોઈ સર્જક નથી હોતો. સામાન્યમાં સામાન્ય માણસ પાસે પણ પોતાની એક આગવી કળા હોય છે બસ તેને થોડો સાથ મળે તો એ પણ વિહરવાનું ચાલુ કરી દે છે.
આજે પહેલી જૂન સરોજબેન પાઠક નો જન્મદિવસ એટલે જ આજે મેં તેના વિશે લખવાનું વિચાર્યું ક્યારેય મળી નથી પણ હા વાંચ્યા છે . તેમની વાર્તામાં જે સંવેદનશીલતાઓ દેખાય છે તે સમાજને અને ખાસ કરીને નારીને આગળ લાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
દરેક લેખક કે લેખિકા તેમની આસપાસ થતાં ઘટનાઓ ઉપર અથવા પોતાના ઘરમાં જ બનેલી રીત ભાતની વર્ણનો ઉપર જ પોતાના શબ્દો ઢાળતા હોય છે ક્યાંક ને ક્યાંક તો તેની નિયમાવલી બહાર આવે જ છે.
. ગુજરાતી સાહિત્યના એક અગ્રણી નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર હતા. તેમણે તેમની કૃતિઓ દ્વારા માનવીય મનોભાવો અને સામાજિક વાસ્તવિકતાનું ગહન નિરૂપણ કર્યું છે
સરોજ પાઠકનો જન્મ કચ્છ જિલ્લાના જખૌ ગામમાં નારણદાસ ઉદ્દેશીને ત્યાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં થયું.
સ્ત્રીઓને જ્યારે મુક્ત ગગન આપવામાં આવે છે ને ત્યારે તે ખુલ્લા શ્વાસે ઉડવાનું પસંદ કરે છે અને તેની પાંખો તે મજબૂત રીતે ફેલાવીને આગળ વધે છે.
. તેમની વાર્તાઓ અને નવલકથાઓમાં મનોવૈજ્ઞાનિક ઊંડાણ અને પાત્રોના આંતરિક સંઘર્ષનું સચોટ ચિત્રણ જોવા મળે છે.
* વાર્તા સંગ્રહો:
* 'પ્રેમ ઘટા ઝૂક આઈ'
* 'પ્રીત બંધાણી'
* 'મારો અસબાબ, મારો રાગ'
* 'વિરાટ ટપકું'
* 'હુકમનો એક્કો'
* 'તથાસ્તુ' (૧૯૭૨)
* તેમની "સારિકા પિંજરસ્થા" વાર્તા ખૂબ વખણાઈ છે.
* 'નાઈટમેર'
તેમણે 'ગુજરાત મિત્ર' અખબારમાં 'નારી સંસાર' નામની કટાર પણ લખી હતી.
સરોજ પાઠકની વાર્તાઓમાં ઘટનાઓ કરતાં પાત્રોના મનોજગત અને સંવેદનાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તેમની લેખન શૈલી અને માનવીય સંબંધોના ઊંડાણપૂર્વકના નિરૂપણ માટે તેઓ જાણીતા છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન હંમેશા યાદ રહેશે.
સરોજ પાઠકના લગ્ન ૧૯૫૦માં રમણલાલ પાઠક સાથે થયા હતા. રમણલાલ પાઠક પોતે પણ ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય લેખક હતા. એવું કહેવાય છે કે રમણલાલ પાઠકે જ સરોજ પાઠકને તેમની પ્રથમ વાર્તા 'નહીં આંધારું, નહીં અજવાળું' લખવા માટે પ્રેરણા આપી હતી, જે 'જીવનમધુરી' સામયિકમાં પ્રકાશિત થઈ હતી. તેમના પતિએ તેમના પ્રથમ વાર્તાસંગ્રહ 'પ્રીત બંધાણી' (૧૯૬૧) ના પ્રકાશનમાં પણ મદદ કરી હતી.
સરોજ પાઠકના અંગત જીવનમાં તેમના પતિ રમણલાલ પાઠકનો સાહિત્યિક પ્રવાસમાં મહત્વનો ફાળો રહ્યો છે, જે દર્શાવે છે કે તેમને તેમના જીવનસાથી તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળ્યા હતા.
🌹 અવંતિકા 🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹