જ્ઞાન એ આત્માનો વિષય છે કામના
ગુલામો ને શું ખબર પડે જ્ઞાન શું છે.
ગરીબ એ નથી કે જેની પાસે કરોડો રૂપિયા નથી ગરીબ એ
છે કે મનુષ્ય હોવા છતાં જેની પાસે ધર્મનું જ્ઞાન નથી.
મિત્રો એક ભાઈ ભાષણ કરતા હતા કે ચકલી માળો જાતે બનાવે છે,આપણું ઘર આપણે પોતે બનાવીએ છીએ તો ભગવાન સર્વશક્તિમાન હોય તો પોતાનું મંદિર પોતે બનાવી લે.
એક બુદ્ધિ જીવી બેન કહેતા હતા,કે આ પૃથ્વી તો આપોઆપ બની ગઈ છે જો ભગવાને બનાવી હોય તો ચંદ્ર અને મંગળ પર રહેવા લાયક વાતાવરણ કેમ નથી.
આ પ્રશ્નો આધ્યાત્મિક છે એને જાણવા હોય તો સંસારનો ત્યાગ કરવો પડે આમ રિલ્સ જોવાથી આના જવાબ ન મળે
તો આ બુદ્ધિ જેવીઓ ને વધારે તો શું કહેવું પણ એટલું જરૂર કહીશ કે. ચકલીને માળો બનાવવાનું જ્ઞાન કુદરતે આપ્યું છે છે.હું અને તમે આપવા નથી ગયા. અને મંદિરની જરૂર આપણા ઇન્સાનો ને છે ભગવાનને નહીં . તમે મંદિર બનાવો કે ના બનાવો જાપ જપો કે ના જપો ઈશ્વરને ફરક નથી પડતો ફરક આપણને પડે છે.
મંદિર આપણા ઇન્સાનો ના ભલા માટે બનાવવામાં આવ્યા છે કે જે લોકો ભગવાન ના નિરાકાર સ્વરૂપને જાણી નથી શકતા એ લોકો માટે ભગવાને સાકાર સ્વરૂપ ધારણ કર્યું અને એ સાકાર સ્વરૂપના મંદિરો છે.
જ્યારે આપણા માતા-પિતા પણ આપણને ના સમજી શકે ના સાંભળે ત્યારે તમે તમારી પ્રાર્થના મંદિરમાં જઈને કરી
શકો .
અને બીજું કે ચંદ્ર અને મંગળ રહેવા લાયક કેમ નથી. 9 ગ્રહ
27 નક્ષત્ર અને 12 રાશિ આ 48 ગ્રહો મળીને પૃથ્વીને રહેવા લાયક વાતાવરણ પૂરું પાડે છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે સૂર્ય થોડુંક નજીક આવી જાય તો પૃથ્વી ખતમ થઈ જાય તો સૂર્ય નહીં ચંદ્ર પણ થોડો પૃથ્વીની નજીક આવી જાય તો પણ પૃથ્વી ખતમ થઈ જાય, પૃથ્વી ઉપર જે પણ પ્રવાહી છે તે બધાનો કંટ્રોલ ચંદ્રના હાથમાં છે, પૃથ્વી પરનું પાણી, પૃથ્વીમાં પેટાળમાં રહેલું લિક્વિડ, પૃથ્વીના પેટાળમાં રહેલું લાવા, આપણા શરીરમાં રહેલું બ્લડ આ બધાનો કંટ્રોલ ચંદ્રના હાથમાં છે જો ચંદ્ર થોડોક નજીક આવી જાય, તો પૃથ્વી પરના જીવો હાર્ટ એટેક અને પેરાલીસીસ થી મરી જાય. ભૂકંપ અને સુનામી આવવા લાગે જેના કારણે પૃથ્વી ખતમ થઈ જાય. ડોક્ટર કહે છે નમક ખાવાથી બ્લડપ્રેશર વધે છે.કારણ જે રીતે ચૌદસ પૂનમના સમુદ્રમાં વીર આવે છે. એવી રીતે નમક ખાવાથી આપણા શરીર માં લોહી માં પ્રેસર વધે છે.
14 લોક છે . પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પણ વસ્તી છે. પણ આપણી પૃથ્વીની ફરતે જે 48 ગ્રહો છે તે પૃથ્વીની વાતાવરણ પૂરું પાડવા માટે છે એના પર વસ્તી નથી.
લી. આર્ય "