*દાદાની ડાયરીમાંથી*
જેને શાકભાજી વ્હાલી,
તેના મોઢે હમેશાં લાલી.
જેને ઘેર તુલસીને ગાય,
તેને ઘેર કોઈ રોગ ના જાય.
જે ખાય બીટ ને ગાજર,
તંદુરસ્તી તેને ત્યાં રહે હાજર.
કરીયાતું જે રોજ પીવે,
તે હંમેશાં તંદુરસ્ત જીવે.
પાંઉ અને પીઝા,
એ તો નકઁના વિઝા.
જે મોડે સુધી જાગે,
તે રોજ દવા માંગે.
જેનો ઝાડો સાફ,
તેના બધ્ધા રોગ માફ.
રોજે રોજ ખાઓ દૂધી,
કરો લોહીની શુધ્ધી.
જે નરણે તાંબાના લોટામાં,
ભરેલું પાણી પીવે,
તે આનંદથી જીવે.
જેનું પેટ બહાર, એના રોગ અંદર.
જેનું પેટ અંદર, તેના રોગ બહાર.
બગઁર એટલે,બરબાદી