(૧) સંતોષ
(૨)સામર્થ્ય
(૩)સૌદર્ય
(૪)પ્રેમ
(૫)જ્ઞાન
(૬)શાંતિ
(૭) પ્રસન્નતા
આ ૭ પ્રેરણા માટે બહાર અને અંદર સતત દોડવું એ સંઘર્ષ છે.. અને ઈચ્છાઓ નું દમન અને ઈચ્છાઓ પૂરી કરવા માટે ની વ્યાકુળતા બન્ને સંઘર્ષ ઉત્પન્ન કરે છે. આ જ મન અને અહંકાર નું નિર્માણ કરે છે.
મન અને અહંકાર સાથે મળી ને ચિત્ત બનાવે છે અને આ ચિત્ત વિષયોથી ગ્રસિત થઈ ને બુદ્ધિ અને ઇન્દ્રિયો ને નચાવે છે.
મન નીચલા ભાવો સાથે બંધાય કે ઊર્ધ્વ ભાવો સાથે બંધાય અહંકાર વડે ચિત્ત નું નિર્માણ કરે છે. અને આ ચિત્ત અસંખ્ય વિષયો વડે ઈચ્છાઓ થી બંધાય છે.
આમ
(ઇન્દ્રિયો + પ્રાણ + બુદ્ધિ) = જીવંત શરીર
આ જીવંત શરીર જ્યારે ઈચ્છાઓ ની પૂર્તિ માટે દોડે છે અને સુખ દુઃખ નો અનુભવ કરે છે ત્યારે વિષયો ની વૃત્તિ સાથે બંધાઈ ને મન + અહંકાર = ચિત્ત નું નિર્માણ કરે છે.
આ ચિત્ત ની વૃતિઓ ઇન્દ્રિયો ,પ્રાણ અને બુદ્ધિ ને પણ સુખી અથવા દુ:ખી કરે છે. ઇન્દ્રિયોમાં રોગ,અશક્તિ અને બુદ્ધિ માં શોક અથવા વિષાદ ઉત્પન્ન થાય છે અને પ્રાણ ની ગતિ કુંઠિત થાય છે.
મન ના સર્જન ને અટકાવવાના બે ઉપાય છે.
(૧) જે ઈચ્છાઓ પૂરી થઈ શકે એ ઈચ્છાઓ પૂર્ણ કરી દો
(૨) જે ઈચ્છાઓ પૂર્ણ કરવી શક્ય નથી તેને અસ્તિત્વ માંથી કાઢી નાખો. અર્થાત્ તેનું ધ્યાન કરવાનું બંધ કરો.
*અહંકાર ને ઘટાડવા માટે મમત્વ ઘટાડો. કારણ કે વસ્તુ ,વ્યક્તિ કે ભાવ નું વધુ પડતું મહત્વ મમત્વ ઉત્પન્ન કરે છે. રોજ સમસ્યા અથવા મુશ્કેલીઓની અનુભૂતિ કરવી પણ મમત્વ છે.
ચૈતન્ય અને વર્તન ને પ્રભાવિત કરતી આ ૭ પ્રેરણા નો જેટલો ઉત્સવ ઉજવી શકો એટલો ઉજવવો એટલે કે પ્રસન્નતા,શાંતિ,પ્રેમ,સૌંદર્ય ,જ્ઞાન અને શાંતિ વધે એવા વિચારો + કર્મો + સંગત નું સેવન કરવું ... કારણ કે અત્યારે તમે જે કઈ પણ છો... તમારું સંપૂર્ણ અસ્તિત્વ એક જ ક્ષણ છે.. અને આ ક્ષણ ક્ષણે ક્ષણે બદલાય છે. મૃત્યુ સુધી ની પ્રત્યેક ક્ષણ જીવન છે.
આ ૭ પ્રેરણાઓને અલગ અલગ સંકલ્પો અથવા ઈચ્છાઓ માં બાંધી વ્યાકુળતા અને દમન પૂર્વક સંઘર્ષ ઊભો કરવો, બહાર અપેક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પાળવી અને અંદર ભ્રમ ઊભા કરવા, આ કર્તાભાવ નું નિર્માણ કરવાનો ઉપાય છે.
એકવાર ચૈતન્ય કર્તાભાવ માં બંધાયું તો તમારૂ બાહ્ય વર્તન પણ વ્યથિત થશે. તમે અનુભવ્યું હોય છે કે ક્રોધ પહેલા અંદર ચૈતન્ય માં આવે છે.. પછી બહાર એ પ્રગટ થાય છે.. એમ વાસના , ઘમંડ પણ ચૈતન્ય ને પ્રભાવિત કરીને બહાર વ્યક્ત થાય છે.
તમે ગાળ બોલો કે અનુચિત વ્યહવાર કરો તો પહેલા એ તમને પોતાને પ્રભાવિત કરે છે ત્યાર બાદ બીજાને.
દાખલા તરીકે : ભવિષ્ય માં જલ્દી ધનવાન બનવાની ઈચ્છા અને સુંદર સ્ત્રી અથવા પુરુષ પામવાની મહત્વકાંક્ષા તમને સફળતા ની આંધળી દોડ ના દોડનાર બનાવી દેશે... એ મહત્વકાંશા પૂર્ણ થશે તો ગર્વ અને ન પૂરી થઈ તો નિરાશા અને ચિંતા થશે.
ધનવાન બનવું એ તો આડ પેદાશ છે.. પહેલા કયું કર્મ કરવું તે વિચારો.. તમે જે કર્મ કરશો એને તમે પ્રેમ કરતા હશો તો તમને એ કર્મ પ્રસન્નતા આપશે ,શાંતિ આપશે , સંતોષ આપશે..તમારા જ્ઞાન માં વૃદ્ધિ કરશે તો આપો આપ પૈસા પણ કમાઈ લેશો. વ્યવહારિક જીવન માં સફળતા માટે પણ પ્રસન્ન ,શાંત, સંતોષી વ્યક્તિત્વ નો બહુ જ મોટો ફાળો છે.
વ્યવહારિક જીવન માં સમજ, વિશ્લેષણ ક્ષમતા,જિજ્ઞાસા, તર્ક, ભાષા ,સ્મૃતિ અને ચાતુર્ય નો વિકાસ કરવા માટે બુદ્ધિ ને વિકસાવવી તેમ જ સામાન્ય સમજ એટલે કે કોમન સેન્સ પણ વિકસિત કરી શકાય છે. પણ આ તો કામ કરતા કરતા પણ કેળવી જ શકાય છે. આ બહાર ના વર્તન પર બહુ જ પ્રભાવ પાડે છે. પણ આંતરિક પ્રસન્નતા અને શાંતિ વગર બુદ્ધિ પણ સહાયક નથી