જય હિંદ
પ્રથમ વિશ્વ યુધ્ધ વખતે જર્મન જહાજ emden મદ્રાસ પર હુમલો કરવા આવ્યુ ત્યારે ભારતની આઝાદી માટે લડત ચલાવતા સ્વાતંત્રસેનાની હુમલાની રાત્રે Emden ના તૂતક પર હતા અને તેઓ જ જર્મન યુદ્ધજહાજને મદ્રાસ તરફ દોરી લાવ્યા હતા. ચેમ્પાકરમ્ન પિલ્લઇ નામના એ ક્રાંતિકારીએ સપ્ટેમ્બર ૧૫, ૧૮૯૧ના રોજ ત્રાવણકોર રાજ્યના થિરૂવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ) શહેરમાં જન્મ લીધો. પરિવાર જો કે
તમિલ હતો. ૧૦૦ વર્ષ થયે ત્રાવણકોર અંગ્રેજોના વર્ચસ્વ નીચે હતું અને તે સ્થિતિ પ્રજાને લગભગ કોઠે પડી ચૂકી
હતી. પિલ્લઇના મન અસહ્ય હતી. પહેલેથી તેમની હિમાયત કે અંગ્રેજો સામેસશસ્ત્ર ક્રાંતિ કર્યા વિના આઝાદી મળે
નહિ. ગુલામીના માનસવાળા લોકોમાંસ્વતંત્રતાની તમન્નાનો અંગારો ચેતવવા તેમણે ત્રિવેન્દ્રમની મહારાજા કોલેજમાં
શાસનકાળ દરમ્યાન ‘જય હિંદ!'ને અભિવાદનનું સ્લોગન બનાવ્યું. મિત્રોનોભેટો થાય અને પછી છુટ્ટા પડવાનું થાય
ત્યારે જય હિંદ બોલવું એ તેમનો સ્વભાવબન્યો.
આ સાડા ચાર અક્ષરો આઝાદી માટેના
ભારતવ્યાપી નારામાં ફેરવાયા તે પણ કેટલાક જોગાનુજોગોને
આભારી હતું.
https://www.facebook.com/share/p/1BFdzKC9GG/