ચાલ્યા ગયેલા લોકો પાછા નથી આવતાં.
આપણે તેમની ગેરહાજરીથી ટેવાઈ જઈએ છીએ. અમૂક સ્મૃતિઓને બાદ કરતા ધીમે ધીમે તેમની યાદો ક્ષીણ અને બુઠ્ઠી થતી જાય છે.
પસાર થઈ રહેલો સમય સૌથી મોટો જાદૂગર હોય છે. ઘણુંબધું ભૂલાતું જાય છે અને જે નથી ભૂલી શકાતું એની તીવ્રતા ઘટતી જાય છે. એ સ્મરણો એટલાં જ પ્રિય હોવા છતાં ધીમે ધીમે એમાં રહેલું ભાવનાત્મક તત્ત્વ ઓગળતું જાય છે અને એ સ્મૃતિઓ પ્રત્યે આપણે તટસ્થ બનતાં જઈએ છીએ.
લિ.
મહેન્દ્રકુમાર માળી