જીવનમાં કોઈ આંસુ લૂંછનાર હોવું જરુરી.
જીવનમાં કોઈ ભાવ પૂછનાર હોવું જરુરી.
ગેરસમજો તો ડગલેપગલે થાય છે અહીં,
જીવનમાં કોઈ વળી સમજનાર હોવું જરુરી.
લાગણીની પણ એક દુનિયા હોય અનોખી,
જીવનમાં કોઈ હમકદમ થનાર હોવું જરુરી.
હિસાબ નથી ચાલતા દરવખતે આંટીઘૂંટીમાં,
જીવનમાં કોઈ ગણતરી મેલનાર હોવું જરુરી.
સાથે જીવનારા પણ ભરમાય છે ક્યારેક કેવા !
જીવનમાં વિશ્વાસના પાયે જીવનાર હોવું જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.