આપણી આજુબાજુ સાવ ઓછા લોકો હોય તો ચાલે પણ એવા હોવા જોઈએ જેમના માટે આપણે મહત્વના હોઈએ.
કોઈપણ સંબંધનું વાસ્તવિક મૂલ્ય એકબીજાને અપાતા મહત્વ પર રહેલું હોય છે. જે રીતે કોઇ વસ્તુ આપણા માટે મૂલ્યવાન હોય તો આપણે તેની પૂરતી કાળજી રાખીએ તે જ રીતે જે સંબધ મૂલ્યવાન હશે, તેની કાળજી પણ રાખીશુ.
જિંદગીના શરૂવાતના સમયમાં આપણને એમ લાગે કે આપણે જેટલા વધુ લોકોથી ઘેરાયેલા રહેશુ તેટલા વધુ ખુશ રહીશુ, અને એટલે જ આપણે વધુ ને વધુ લોકો સાથે જોડાવાની કોશીશ કરતા હોઈએ છીએ. પરંતુ, જેમ જેમ આપણે જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈએ તેમ તેમ સમજાવવા લાગે કે આપણી આજુબાજુ એવા ખુબ ઓછા લોકો હોય છે જે આપણે જરૂર પડે ત્યારે આપણી પાસે ઉભા રહે, આપણા માટે સ્ટેન્ડ લે અથવા આપણા પર વિશ્વાસ કરે.
અને એટલે જ જીવનમાં આપણી આજુબાજુ કેવા લોકો છે તેની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ.
જો તમારી પાસે એવી કોઇ વ્યક્તિ હોય જે તમને સમજે, તમારું મૂલ્ય સમજે, તકલીફના સમયે તમારી સાથે ઉભા રહે તો આજુબાજુ વધુ લોકોની જરૂર નથી.
#સંબંધ ...