🙏 મહાવીરનો કર્મવાદ 🙏
Part 1
👉 આપણી સાવ નજીદીકની વ્યક્તિઓ જ આપણને વધું દુઃખ આપતી હોય છે. તેનું કારણ શું ? અને તેવે વખતે શું કરવું ?
👉 જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.
👉 લેણદેણનાં સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતુ નથી.
👉 કોણ આપણાં મા-બાપ બનશે ? કોણ જીવનસાથી ? કોણ ભાઈ બહેન ?
👉 કોણ પુત્ર-પુત્રવધુ ? કોણ દીકરી-જમાઈ ?કોણ પાડોશી ? કોણ સગાં-વ્હાલાં ?
👉 આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં *પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે* નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગાં બન્યાં છે તે પણ *મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે* તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે.
👉 તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યું હશે.
👉 ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે *પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.*
👉 આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે *હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું* તો જ આ વેરની ગાંઠ ભેદાશે.
👉 *નહિ તો જન્મોજન્મ ચાલી આવશે.*
👉 ના... ના... મહાવીરનો *કર્મવાદ* સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો. મને આ દુઃખ સમતાભાવે વેઠવાની, હે... પ્રભુ, શક્તિ આપ... શક્તિ આપ...
👉 ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.