દર્દ
દિલની વેદના જ્યારે પોતાના લોકોથી મળે ત્યારે તે દિલ તોડી દે છે.
પોતાના જ્યારે પારકા બની જાય ત્યારે મન ની વેદના દ્રવી ઊઠે છે.
કોને શું કહેવું? કેવી રીતે સમજાવવું એ વાત થી હદય હચમચી જાય છે.
જ્યારે હોય આપણું સ્વાભિમાન તેને બચાવવા સંબંધો તૂટી જાય છે.
કોને કહેવી, મનમાં રહેલી વેદના,એ વિચારે આંખોમાંથી અશ્રુ વહી જાય છે .
કુદરતની આ માયાજાળમાં દર્દ પણ ખોવાઈને છુપાઈ જાય છે.
-Bhanuben Prajapati