*શીર્ષક:નવસર્જન*.
શું નવસર્જન..?
શું વિસર્જન ...?
નથી આપણા હાથમાં કશુંય અર્જન...!
આપણે તો છીએ
પ્રભુના બાળકો,
કરીએ સર્જનાત્મકતાથી
પ્રકૃતિ કેરી પૂજા...!
ધબકતાં હૈયાની સાંભળી વાતો,
રાખીએ દીન દુઃખીયા
સંગ નાતો...!
કરીએ સેવા અનાથ બાળકો અને વૃધ્ધોની,
આવો ભેગા મળી કરીએ નવલા સમાજનું નવનિર્માણ ...!
નવનિર્મિત સમાજ થકી બદલાશે લોકોની જાત,
પછી જોજો લોકો
જ કરશે
સમાજસેવા થકી દેશસેવાની વાત...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
આણંદ.