*પ્રેમના પ્યાલા જેણે ભરી ભરી પીધાં,*
*અમૃત છોડી વિખ નહી ખાવે...*
જગતના સંબંધો બધા મર્યાદિત અને સીમિત છે, ત્યાં સાચો પ્રેમ નથી, સાચો પ્રેમ તો છે સદગુરુના સાનિધ્યમાં, સદગુરુના ચરણોમાં, સદગુરુ જ આપણને પ્રેમનો પ્યાલો પાય છે, પ્રેમની ઓળખ કરાવે છે, અને જ્યારે આપણે સ્વયંનાં હોવાપણામાં ડૂબીને આ પ્રેમનો અનુભવ કરીયે ત્યારે, જીવણબાપા કહે છે કે *પ્રેમના પ્યાલા જેણે ભરી ભરી પીધાં* જેણે આ પ્રેમને માણ્યો છે... આ પ્રેમનો રસ ભરપૂર પીધો છે, એ હવે તે બીજે ક્યાંય અટવાતા નથી, જીવણ બાપા તેને કહે છે *અમૃત છોડીને વિખ નહી ખાવે* જેણે પોતાનાં ભીતરમાં જ વચનરૂપી અમૃતનું પાન કર્યું છે તે હવે બીજે કયાંય જઈને વિષપાન નહી કરે, તે આવો અમૃત રસ છોડીને વિખ નહી ખાય આવું જીવણબાપા કહે છે....