મિત્રતા એ કેવળ સહવાસ નથી; એ તો મિત્રતાનું ઉંજણ છે. અપેક્ષા અને ઉપેક્ષા વ્યાવહારિક સંબધોમાં જેટલી સ્વાભાવિક લાગે છે એટલી મિત્રતામાં નથી લાગતી. મિત્રતા અનપેક્ષિત આદાન-પ્રદાન છે. મિત્રતા એ સ્નેહ અને સુખ-દુ:ખનું આદાન-પ્રદાન છે. ભૌતિકતાને કોઇ અવકાશ નથી. માટે જ - ‘જગતની સર્વ કડીઓમાં, સ્નેહની સહુથી વડી’ પણ એ ભૂલી જઇએ છીએ એટલે મિત્રતાની મરણનોંધ જ લખાય.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi