👉રક્ત માંગે રાજનીતિ👈
ભારતની રાજનીતિમાં જ્યારે સિંહાસન પામવાની ઘેલસા જાગે છે ત્યારે આ ધરા નિર્દોષના રક્તથી રંગાય જાય છે . 1971માં બાંગ્લાદેશ , 1962માં ચીન યુદ્ધ સમયે નેફા પ્રદેશમાં થયેલ ઓચિંતો હુમલો અને ભારત સરકાર ન આવી અને બગાવતની આગ ત્યાંના યુવાનોમાં લાગી ગઈ . જે આજે પણ આપણે અરુણાચલ અને છત્તીસગઢમાં ભોગવી છીએ .
1984માં થયેલ શીખ રમખાણ , 2002માં ગુજરાત માં ટ્રેન સળગી અને પછી બનેલા બનાવ , બાબરી 1992 માં પડી અને અનેક લોકો મૃત્યુ ને ભેટ્યા . 1975 ની ઇમરજન્સી . હાલમાં ચાલી રહેલ કાશ્મીરની ઘાટીમાં રક્તપાત . આ તમામના તાર એકકેન પ્રકારે રાજનીતિ અને ખુરસીકરણ સુધી જોડાયેલ છે .
કોઈપણ જાતિવાદ કે કોમવાદના રમખાણ અને પલાયન પાછળ રાજનીતિની મુખ્ય ભૂમિકા રહી છે . જેટલા પણ રમખાણ થયા એમાં મુખ્ય સૂત્રધારને કેટલી સજા થઈ ? એક પણ નામ નહિ આવે . ફક્ત એમના પાયદલિયા જ જેલમાં સડી રહ્યા છે .
આ વાત એટલા માટે લખી રહ્યો છું કારણ કે ચૂંટણી નજીક છે અને પહેલા મહિનામાં રામ મંદિરનું પરિણામ છે . અને તકવાદી કુતરાઓ ભોકવાનું ચાલી દેશે . પણ દેશની સાર્વભૌમત્વ ને ટકાવી રાખવાની અને શાંતિ રાખવા ની જવાબદારી આપણી છે . આવતો સમય આપના દેશપ્રેમની એક અગ્નિપરીક્ષા છે . આપણી સમજશક્તિ કેટલી છે એ આ જાડી ચામડીવાળા નીચ અને હીન નેતાઓને બતાવી દેજો .
દેશમાં અરાજકતા , ફેલાવી પ્રજાને ગુમરાહ કરવાની એની આદત બની ચુકી છે . ત્યારે આપણી સામે ચેલેન્જ છે . આ દેશને અંદરથી મજબૂત કરવાની . દેશને ટકાવી રાખવાની . દેશને વિશ્વ ફલક પર મહા સત્તા બનાવવાની . જે ભી પરિણામ આવે એનો સ્વીકાર કરી . ભાઈચારો અખંડ રાખજો . ધ્યાન રાખજો ખુરસીના કીડા દેશની એકતા ને કોતરીને જર્જરિત ન કરી નાખે .
જાગો અને જાતિવાદ , કોમવાદ ની ગટર માંથી બહાર આવી . પોતાના આત્માને પૂછો કે નેતાઓના આદેશ મોટા છે કે દેશ ધર્મના મિનારા . પોતાની જાતને ગુલામ ન બનાવો કોઈ વાહિયાત વિચારધારાના કે શૈતાની શક્તિના . આજ સુધી એકપણ નેતાનું ઘર દંગામાં સળગ્યું નથી . જે સળગ્યા એ નિર્દોષ લોકોના ઝુંપડા હતા . તમારા આકાઓના ઘર સલામત રાખવા માટે તમે તમારા જ ભાઈઓના ઝુંપડાને આગ ન ચાંપતા . રાજનીતિ આજે છે અને કાલે નથી પણ આ દેશ કાયમ છે . અને તમારી નસલ પણ કાયમ છે .
ભાવિ પેઢી તમારા નામનું ગૌરવ લઈ શકે . અને કોલર ઉંચા કરી તમારું નામ લઈ શકે . એવું ન બને કે તમારી જ પેઢી ક્યારેય તમને માફ ન કરે . તમે એના માટે કેવું ભવિષ્ય આઓઈ ને જશો એ તમારા પર નિર્ભર છે . ખૈર , લોકો સમજદાર થતા જાય છે અને આ વાત સમજી ગયા હશે એવી આશા રાખું છું .
✍️મનોજ સંતોકી માનસ✍️