ઓપરેશન કહુતા...!!
ભારતનાં ‘ગુજરાતી’ પ્રધાનમંત્રીની એવી ભૂલ જેણે ‘રો’નાં ૩ ઓફિસરનો જીવ લીધો..!
(Reference book: The Kaoboys of RAW by Raw officer B. Raman)
1977 ની આ વાત છે..ત્યારે ભારતના પ્રધાનમંત્રી પદ પર એક ગુજરાતીની પકડ હતી નામ હતું મોરારજી દેસાઈ...આમ તો આ પ્રધાનમંત્રી મજબુત પ્રધાનમંત્રીઓની યાદીમાં આવે પણ મોરારજી એ બડબોલા પ્રધાનમંત્રી તરીકે પણ ઓળખાતા હતા...ભારતે ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વ હેઠળ ૧૯૭૪નું ન્યુક્લિયર પ્રોગ્રામમાં સફળતા મેળવી હતી આઝાદીના ૨૫ વર્ષમાં જ અને હોમીભાભા અને શાસ્ત્રીની દુરંદેશીને લીધે ભારતને આ સફળતા ૨૫ વર્ષમાં જ મળી ગઈ..આ જોઈને અમેરિકા સહીત ઘણાં દેશોની આંખો ફાટેલી હતી...અને ખાસ એ વખતે પાકિસ્તાન અમેરિકાની ગોદડીમાં સુતું હતું...અને ભારતની સફળતાને લીધે ઈર્ષામાં પાકિસ્તાન બળીને ખાખ થઇ ગયું હતું...એટલે પાકિસ્તાન પણ પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવશે જ એવી આશંકા આપણી રીસર્ચ અને એનાલિસિસ વિંગ એટલે ‘રો’ને અચૂક હતી..આપણા ગુપ્તચરો પાકિસ્તાનનાં કહુતા વિસ્તારમાં હતા અને પાકિસ્તાન પર બહુ જ કડી નજર રાખી રહ્યા હતા..આપણા ૩ રો ઓફિસરો પાકિસ્તાનમાં એક વાળંદની દુકાન કરીને આ વિસ્તારમાં રહેતા હતા અને દુનિયાને બતાવા માટે સબૂતો એકઠા કરતા હતા..પાકિસ્તાનનાં ન્યુક્લિયર વૈજ્ઞાનિકો આ દુકાનમાં વાળ કાપવા માટે આવતા અને જાબાઝ રો ઓફિસરો એમના વાળનું નિરીક્ષણ કરતાં..એમાં રો ઓફિસરોને એ વાળમાંથી ન્યુક્લિયર બોમ્બ માટે ઉપયોગમાં લેવાતા યુરેનિયમ મળી આવ્યા..અને આ રો ઓફિસરોએ જેમ તેમ કરીને આ વાળના ટુકડાઓ ભારત સુધી પહોચાડ્યા...! વર્ષોથી ભારતનો રો ડીરેક્ટર રોજ સવારે માત્ર ભારતના પ્રધાનમંત્રીને બ્રીફ કરે છે અને આ પ્રથા આજે પણ ચાલુ છે.. એ વખતના રો ઓફિસરે સવારે મોરારજી દેસાઈને બ્રીફ કરવા માટે આવ્યા અને પાકિસ્તાનનાં આ ન્યુક્લિયર પ્રોગ્રામ વિષે મહિતી આપી અને સબુત સોંપ્યા...પણ મોરારજી એક એવા પ્રધાનમંત્રી હતા જે માનતા હતા કે રો પાછળ કે આઈ.બી પાછળ ભારત ખોટો ખર્ચો કરી રહ્યું છે અને એમની આ વૃતિને લીધે એમણે રો ની આ વાત તેમણે કાન બહાર કાઢી દીધી અને કઈ કાર્યવાહી કરી નહિ કે પાકિસ્તાનનાં આ સબુત દુનિયા સામે રાખ્યા નહિ...એટલું જ નહિ એ વખતનાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને એમના બડબોલા સ્વભાવને કારણે ફોન પર એમજ એમજ હસતાં હસતાં કહી દીધું કે મને બધી ખબર છે પાકિસ્તાન ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવી રહ્યું છે અને આ વિસ્તારમાં ચલાવી રહ્યું છે...આટલી ખબર પડતાં પાકિસ્તાને આપણા રો ઓફિસરોને શોધીને હત્યા કરી નાખી...અને એક પ્રધાનમંત્રીનાં બડબોલા સ્વભાવને કારણે ૩ રો ઓફિસર નિર્દોષ મરી ગયા..!!