શાં માટે હવનના દરેક મંત્રના અંત પછી "સ્વાહા" જાપ કરવામાં આવે છે?
સારી જિજ્ઞાસા છે.
સ્વાહા અગ્નિદેવના ધર્મ પત્નીનું શુભ નામ છે.
સ્વાહામાં "સ્વા" બોલવાથી અગ્નિનું પવિત્ર મૂળ ખુલે છે અને "હા" બોલવાથી બંધ થાય છે.
દેવતા મંત્રને આધિન છે.
અગ્નિમાં હવ્ય દ્રવ્યની આહુતિ આપતા સમયે હંમેશા ધ્યાન રાખવું.
બ્રાહ્મણ દેવતા દ્વારા "સ્વા" ઉચ્ચારવામાં આવે ત્યારે અથવા તેની પછી તરત જ આહુતિ હવન કુંડમાં સમર્પિત કરવી.
બ્રાહ્મણ દેવતા દ્વારા "હા" ઉચ્ચારવામાં આવે ત્યારે અથવા તેની પહેલા આહુતિ હવન કુંડમાં અગ્નિની શિખાઓ સુધી પહોંચી જ જવી જોઈએ.
જયતુ સ્વધર્મ
આહૂતિ હમેંશા જમણા હાથની વચલી બે આંગળીઓથી અપાન મુદ્રા કરીને જ આપવી