નેહા એ વિધર્મી યુવાન આયામ
સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ! college માં બંને ની જોડી નાટક માં ખુબ લોકપ્રિય બની ગઈ હતી અને એ નાટક વાળા કિરદાર માં પ્રેમ કરતા કરતા બંને ને સાચ્ચે જ પ્રેમ થઇ ગયો હતો ! નેહા મરજાદી બ્રાહ્મણ ની પુત્રી એટલે એને ઘેર માં થી ના જ હોય પણ છતાં એને ભાગી ને આયામ સાથે લગ્ન કર્યા હતા ! એના ઘેર માં થી કોઈ એ એની સાથે સંબંધ ના રાખ્યો ! શરુ માં તો બધું બરાબર ચાલ્યું આયામ નેહા નો ખૂબ ખ્યાલ રાખતો પણ પછી ધીરે ધીરે બંને ને પોતાના પરિવાર ની ખોટ સાલવા લાગી ! આયામ તો તેના કુટુંબ સાથે સંબંધ રાખતો હતો અને ધીરે ધીરે નેહા પણ આયામ ના પરિવાર જાણો ને મળવા લાગી હતી પણ એને પોતાનું કુટુંબ બહુ યાદ આવતું !
આમ ને આમ સમય પસાર થઇ રહ્યો હતો ! ત્યાં અચાનક કોમી દંગલ ફાટી પડ્યા ! અને નેહા અને આયામ ના ઘેર હુમલો થયો ! તે વખતે આયામ શેહર માં નોહ્તો અને નેહા સાથે આયામ ના માં હતા ! કોમી હુલ્લડ જે ખરેખર રાજકારણીઓના માણસો જ હોય છે એ નેહા ની આબરૂ લેવા તત્પર બન્યા ! એ વખતે નેહા ને પોતા ની સાસુ ની વિશ્વસનીયતા પાર શઁકા ગઈ ! એને લાગ્યું કે એના સાસુ એને એ માણસો ના હવાલે કરી દેશે અને પોતે જાણ બચાવી ને ભાગી જશે !
પણ આયામ ના મમી એ પોતાનો જીવ આપીને પોતાની વહુ ની ઈજ્જત બચાવી અને ત્યાર પછી નેહા ને પોતાના આયામ અને એના કુટુંબીજનો થી વિશ્વસનીય કોઈ ના લાગ્યું !
# વિશ્વસનીય