ગંભીર અકસ્માતથી રોહન ૩ દિવસની હોસ્પિટલમાંથી સારવાર લઈ ઘરે આવ્યો. સગાં - સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ તેની ખબર પૂછી ગયાં. કોઈએ ફળો આપ્યાં તો કોઈએ ગુલદસ્તો... રોહન વિચારમાં પડી ગયો કે, બાજુવાળા જ્યોતિભાભીના દીકરા સંકેતે જ મારું વેહિકલ સાઈડ પર કર્યું,એને જ ૧૦૮માં ફોન કર્યો અને મારા મોબાઈલમાંથી મમ્મી - પપ્પાને ફોન કર્યો પણ તે જ મને ખબર પૂછવા ન આવ્યો!! ત્યાં તેને સ્મરણ થયું જ્યોતિભાભી હંમેશા સંકેતને કહેતાં કે, જમી લે નહિતર રોહન તને વઢશે...........
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ