તારો શ્રાવણ આવે છે ને મારા જીવનની બધી મહામારીનો અંત આવે છે.. હે ભોળા એક મહામારી કોરોનાની પણ હવે દૂર કરી દે.. આજીજી તને વિનંતી મહાદેવ તું ધારે એ કરી શકે બસ આટલું મારુ કામ કરી દેને.. હા ભૂલ્યા છે માણસો ભાન ને માણસાઈ એટલે તું રુઠયો છે .ના છૂટ્યા પાપ ના બંધ થયું નિર્દિષ અબોલ જીવ પર. અત્યાચાર કે ના ડગલેપગલે ભ્રષ્ટાચાર ,કામદાર ને પ્રાઇવેટ કર્મચારીઓનું ના પછાત વર્ગનું શોષણ દુષણ અટક્યું ના હજુ પણ અમુક શાકાહારી થયું તું બધું જાણે છે , મને ખબર છે તને એજ નડે છે પણ તું એને જ સજા આપને માસૂમને શુ કામ ભરખે છે.. હે ભોળા હવે તો જન સાદું જીવન માટે પણ તરસે છે થયું છે ભાન ઘણાને ભૂલનું તું પછતાવાનો એક મોકો આપને તારા પવિત્ર માસનો પરચો આપને ને હજુ પણ તારા અસ્તિત્વ પર સવાલ કરનારને કરારો જવાબ આપણે એ ભોળા ધરતી પર આવને