પ્રસિદ્ધ માણસની જાહોજલાલી જોઈને તમે નિરાશ થતા હશો કે સાલું શું નસીબ લાવ્યા છે.
પણ એ માણસની શરૂઆત જ્યાંથી થઈ એ જદોજહદ વિશે જાણશો તો જ તમને એ મેળવવાની પ્રેરણા મળશે.
મેં જેટલું જોયું જાણ્યું છે એટલે અનુભવ પરથી હું કહી શકું છું કે સફળતા અને અસફળતામાં ધીરજ એક મહત્વનો ભાગ ભજવે છે.
જેઓ ખોઈ બેઠા તેઓ હતા ત્યાં પાછા જતાં રહે છે અને જેઓ ધીરજ રાખી જાણે છે, તેઓ આગળ વધવાની તક મેળવી લેતા હોય છે.
-મહેન્દ્ર શર્મા 17.7.2020