#દુષ્ટતા
એ કરસનયા એ જ મારી છોડીને મારી નાખી જજ સાહેબ, બસ ચલાવીને રોજ એ મૂઓ મારી લારીએ આવે , સવિ રોજ પાણી પાય, એવો એ ગામ ગપાટા મારે અને ચા પીને પછી જ જાય પણ એ અભાગિયા દાડે મારે કાણે જવાનું થયું. સવિ લારીએ એકલી હતી, કરસન યા એ જ સવિને બસમાં બોલાવી હશે અને કુકર્મ આચરીને મારી નાખી સાહેબ , નવ દહ વરહ ની છોડીને શી ખબર પડે ક્યાં જવાય ક્યાં નહી , કરસન યા નો બાળપણ નો ભેરુ ગન્યો મારી બાજુમાં રે છે એણે મને કહેલું ય ખરું કરસન યો રોજ ફોનમાં ખરાબ ખરાબ જોતો હોય છે સાહેબ, કયાંક એ બધુ જોઇને જ એણે,,,,,,,,,,,,,,,,,,,,,,,,કોર્ટમાં ફસડાઇ પડે છે. (બધા જ પુરાવા ઓ પરથી સાબિત થયું કે સવિ પર બળાત્કાર કરીને એને મારી નાખીને એની લાશને કોથળામાં પૂરી દેવામાં આવી હતી . આમ આરોપી કરસને દુષ્ટતા ની તમામ હદો વટાવી નાખી હતી. આથી તેને જન્મટીપ ની સજા ફરમાવવામાં આવી)