નિયતિ
નિયતિ તારો ખેલ નિરાળો છે!
તારી સામે હર કોઈ લાચાર છે.
જીવન મરણ પ્રભુના હાથમાં છે.
નિયતિ કહે તારો શું વિચાર છે.?
દેશને માટે સો વીર શહિદ થાય છે.
તેની પ્રાર્થના નો અહી ક્યાં પ્રચાર છે?
નાટકમાં જેમને નામનાં મળે છે.
નિયતિ શું? એમનો જ પ્રસાર છે.
દુઃખમાં ભગવાન અને ડોક્ટર ઉભા છે.
એને ભુલી ગયા, શું એ સારા આચાર છે.?
નર કહે નિયતિ તારો ક્યાં વાંક છે.
આ તો કલાઆનું અહી વ્યાપાર છે.
નારાણજી જાડેજા
નર
#નિયતિ