આત્માએ દેહ ધર્યો,
થયો એક જન્મ.
આત્માએ દેહ છોડ્યો,
થયું એક મૃત્યુ.
આત્મા તો છે અજન્મય,
થાય છે દેહનું જન્મ ને મરણ.
આત્માની સાક્ષીએ થઈ એક પ્રક્રિયા,
નામ પડ્યું એનું જિંદગી.
આગળ થવાની લ્હાયમાં દોડતી રહી જિંદગી,
પહોંચી મૃત્યુની સમીપ.
આત્માએ કર્યો એક સવાલ જિંદગીને,
શાને તે કંઈ આપ્યું નહીં સાથે લઈ જવા માટે?
આત્મા લઈ જશે સાથે કર્મોનું ભાથું,
દેહ નથી કંઈ લાવતો કે લઈ જતો સાથે.
આત્મકલ્યાણ અર્થે જયારે થાય કર્મોનો ઉદય,
થાય છે સાર્થક ત્યારે મનુષ્ય દેહનો જન્મ.
#જન્મ