કપૂરની નાનકડી ટિકડી પાર પાડી દેશે મોટા મોટા કામ,બુધવારઅજમાવો આ સરળ ઉપાય
દરેક ઘરમાં જોવા મળતી સફેદ કપૂરની ટિકડીમાં અપાર શક્તિ છુપાયેલી છે. પૂજા-પાઠ ઉપરાંત તાંત્રિક ક્રિયાઓમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. તાંત્રિક વિધિઓમાં આત્માનું આહવાન કરવામાં કપૂરનો જ ઉપયોગ કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારના દિવસને પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે, તેમાં પણ જો કપૂરના કેટલાક પ્રયોગો આ દિવસે કરવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો જાણી લો કેવી રીતે કરવા આ ઉપાયો.
– સૌભાગ્ય વૃદ્ધિ માટે 12 સાબુદાણાને કપૂરથી સળગાવી દેવા.
– શનિ કૃપા મેળવવા માટે શનિ યંત્રનું નિર્માણ કરી કપૂર બાળી તેને ધારણ કરવું.
– ઘરમાં યંત્રની સ્થાપના કરી અને તેની પૂજા કરી કપૂરથી દીવો કરવો. આ ઉપાયથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે
– ઘરમાં પૈસાની બચત થતી ન હોય તો સૂર્યાસ્તના સમયે ઘરમાં કપૂર અવશ્ય સળગાવવું. ઘરના દરેક રૂમમાં તે દીવો ફેરવવો અને પછી તેને મંદિરમાં રાખી દેવો.
– સંધ્યા સમયે ઘરના બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી રોગ-શોક દૂર થાય છે.
– ગંગાજળમાં કપૂર ઉમેરી અને ઘરના મુખ્ય દરવાજા પર છાંટો, તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી.