#અકથિત
કથિત કથિત તો સહુ કહે
અકથિત કહ્યું પણ કહ્યું ના જાય..
સખા.. સખા.. કહીને સુદામા
મહેલમાં પ્રવેશતા હું મિત્ર છું
કહેતા સંકોચન થાય કૃષ્ણ તુજ
મુજ હૈયામાં બિરાજે બંને ભેટી
હરિ અને હારી નું મિલન થાય,
માત્ર અશ્રુભી નો સંવાદ ન કહી
માગ્યું ન હરી એ કંઈ આપ્યું
સુદામા ની ઝુંપડી શાને રાજમહેલ થઈ જાય ?
કથિત કથિત સૌ કહે
અકથિત કહ્યું પણ કહ્યું ના જાય..
કૃષ્ણ કૃષ્ણ આજ મીરા કહે..
આ છે મારો નાથ મુજ હૈયામાં
વિવાહ થયા એક દિન આવે ને
મને લઈ જાય પ્રભુ આવી
તેને મને ભીતરમાં સમાવી લીધી
આને તો મીરા નિસ્વાર્થ પ્રિત કહેવાય
હે પ્રભુ બસ આમ કેમ છુપાવી મને ?
કૃષ્ણ હશે ને કહે દુનિયા રામને ના સમજી
તો મીરા નો "પ્રેમ" તેમને ક્યાંથી સમજાય ?
કથિત કથિતતો સૌ કહે
અકિથીત કહ્યું પણ કહ્યું ના જાય ના જાય..
"અકથિત તે જીવનની એવી વેદના છે જેને આપણે કહીએ પણ તે સંવાદમાં છુપાયેલી હોય છે તે લાગણી છે પ્રેમ છે કર્તવ્યનિષ્ઠા છે જેને આપણે સમજાવી નથી શકતા તેવી ભાવના છે"
સુનિલ કુમાર શાહ