શુ તમે પણ નખ કટ કરીને ફેંકી દો છો તો પહેલા ખાસ વાંચી લો, નહીંતર…
તમે દરેક પણ આ વાતથી વાકેફ હશો પહેલાના સમયમાં રાતના સમયે નખ કટ કરવા માટે ના કહેવામાં આવતી હતી. હાલ પણ લોકો આ વાત માને છે. એવામા આજકાલ એવું કહેવામાં આવે છે કે નખ કાપવા હાઇજીનથી જોડાયેલી એક પ્રક્રિયા છે અને રેગ્યુલર બેસિસ પર નખ કાપવાથી નખ અને આંગળીઓની વચ્ચે ગંદકી એકઠી થઇ શકતી નથી. જ્યારે વાત કરીએ પહેલાના સમયમાં કહેવામાં આવતું હતુ કે નખ રાતમાં કટ ન કરવા જોઇએ. હવે આજે અમે તમને તેની પાછળનો તર્ક જણાવવા જઇ રહ્યા છીએ કે આખરે પહેલાના સમયમાં કેમ એવું કરવામાં આવતું હતું.
– કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં જ્યારે 24 કલાક વીજળી આવતી ન હતી. ત્યારે રાતે બારીક કામ કરવામાં આવતું ન હતું અને બ્લેડ જેવી શાર્પ વસ્તુ રાતે ઓછી ઉપયોગ કરવામાં આવતી હતી.
– કહેવામાં આવતું હતું કે ત્યારે નેલ કટર પણ ન હતા અને ત્યારે લોકો તેમના નખ કટ કરવા માટે કાતરનો કે ચપ્પુનો ઉપયોગ કરતા હતા. જેથી રાતે આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો ન હતો.
– તે સિવાય એવું પણ કહેવાય છે કે કાળું જાદુ કરવા માટે ખાસ કરીને કોઇનો તૂટેલો નખ કે શરીરના કોઇપણ ભાગની જરૂરત હોય છે અને આ કારણથી કહેવાય છે કે જો રાતમાં નખ કટ કરવા ક્યાંક પડી જાય તો તે નખને એકઠા કરીને તેની પર બ્લેક મેજીક કરવામાં આવે તો તે વ્યક્તિને નુક્સાન થતુ હતું. આ કારણથી રાતે નખ કાપવામાં આવતા ન હતા.