તુલસી નો છોડ કહી રહ્યો છે આજે રડી રડી ને...
મને એક લોટો પાણી નહી ને ક્રિશમસ ટ્રી ને લાઈટોનો શણગાર..??
હું હોઉં જે ઘરનાં આંગણામાં તો ત્યાં આવે નહીં ભુત-પ્રેત ને ડાકણનો ભરથાર,
છતાં પણ મને એક લોટો પાણી....!!
જે કરે મારું સેવન એના મટાડું ડાયાબીટીસ-બ્લડ પ્રેશર ને હજારો રોગો ના અણસાર,
મને લખાઈ છે આયુર્વેદનાં ગ્રંથોમાં,મારાથી જ થાય અનેક રોગોના ઉપચાર,
છતાં પણ મને એક લોટો પાણી....!!
ભગવાન વિષ્ણું ની રાણી હું,શ્રી હરી ના હૈયાંનો એક તાર,
ભલે તમે ધરાવો ભગવાનને છપ્પનભોગ,પણ મારા વગર એ બધું જ બેકાર,
છતાં પણ મને એક લોટો પાણી....!!
મને પ્રસાદમાં દેખી ને આજના છોકરાયું કહે છે""આ પાંદડા શેના નાખ્યાં છે ચાર..??""
હવે તમે જ કહો ક્યાં જશે આપણી આ સંસ્ક્રુતિ ને આપણા સંસ્કાર,
છતાં પણ મને એક લોટો પાણી નહી ને ક્રિશમસ ટ્રી ને લાઈટોનો શણગાર..??