શુ મોબાઇલ નંબર બદલવાથી ચમકી જાય છે કિસ્મત? જાણો વિગતે
આ સાચુ છે કે મોબાઇલ નંબર પણ આપણી કિસ્મતને અસર કરે છે. જે રીતે ગ્રહ નક્ષત્રોની અસર આપણી પર થાય છે. ઠીક તે જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્ય પર અસર કરે છે.
અંક શાસ્ત્ર અનુસાર મોબાઇલ નંબરમાં સૌથી વધારે અંક 8નું હોવું શુભ નથી. તેનાથી તમને વારંવાર આલોચનાઓનો સામનો કરવો પડે છે. ખર્ચમાં વૃદ્ધિ થાય છે.
અંક 9 ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અંક મોબાઇલ નંબરમાં સૌથી વધારે વાર હોવું ભાગ્ય બળવાન બને છે. આ ધનવૃદ્ધિમાં મદદરૂપ થવાની સાથે જ તમારા પરોપકારી અને જ્ઞાન હોવાનું સૂચક માનવામાં આવે છે.
પરંતુ આ જરૂરી નથી કે તમે માત્ર 9 નંબરને લકી માનીને તેની પાછળ દોડવા લાગે છે. આ પણ ધ્યાન રાખો કે તમે ક્યા ક્ષેત્રથી જોડાયેલા છો જેમકે તમે ગાયક, સંગીતકાક, ચિત્રકાર અથવા કોઇ અન્ય કળાથી જોડાયેલા છો તો અંક 3 અને 4નો આંકડો આવે તેવો મોબાઇલ નંબર પસંદ કરી શકો છો.
રમત જગત, પોલીસ અને સેનાથી જોડાયેલ વ્યક્તિઓ માટે 6,7 અને 2 અંક શુભ હોય છે. રાજનીતિ તથા શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલા વ્યક્તિઓ માટે 4 અને 3 અંક પણ ફળદાયી હોય છે.