એક વખત ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા દ્વારકા ગયા, ત્યાં શ્રીકૃષ્ણે તેમનું ભરપૂર સ્વાગત કર્યુ, શું થયું જ્યારે અશ્વત્થામાએ શ્રીકૃષ્ણ પાસેથી માંગી લીધુ સુદર્શન ચક્ર
દરેક વ્યક્તિ પોતાની રોજી-રોટી માટે કોઈ ન કોઈ કામ જરૂર કરે છે. કેટલાક લોકો ઓછું કામ કરીને પણ વધુ લાભ મેળવવાની આશા રાખે છે તો કેટલાક લોકો ઈચ્છે છે કે તેમને કામ કર્યા વિના જ દરેક સુખ-સુવિધાઓ મળી જાય. મહાભારતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને અશ્વત્થામા સાથે જોડાયેલો એક આવો જ પ્રસંગ છે. આ પ્રસંગમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્રો પણ છુપાયેલા છે, જે આ મુજબ છે -
જ્યારે અશ્વત્થામા પહોંચ્યા દ્વારકા
એક વખત પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા દ્વારકા ગયા. ભગવાન કૃષ્ણે તેમનું ભરપૂર સ્વાગત કર્યુ અને તેમને અતિથિના રૂપમાં પોતાના મહેલમાં રાખ્યા.
- થોડા દિવસ ત્યાં રહ્યા પછી એક દિવસ અશ્વત્થામાએ શ્રીકૃષ્ણને કહ્યું કે - તમે મારી પાસેથી મારો અજેય બ્રહ્માસ્ત્ર લઈ લો અને તેના બદલામાં તમારું સુદર્શન ચક્ર મને આપી દો.
- શ્રીકૃષ્ણે અશ્વત્થામાને કહ્યુ - સારું, મારા કોઈ પણ અસ્ત્રમાંથી તમે જે ઈચ્છો તે લઈ લો. મને તમારેથી બદલામાં કંઈ નથી જોઇતું.
- અશ્વત્થામાએ ભગવાનનું સુદર્શન ચક્ર ઉપાડવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે તેને હલાવી પણ ન શક્યા. તેણે ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા જ મળી.
- જ્યારે અશ્વત્થામાએ હાર માની લીધી ત્યારે ભગવાને તેમને સમજાવ્યુ કે અતિથિની પોતાની મર્યાદા હોય છે. તેણે ક્યારેય એવી વસ્તુ ન માંગવી જોઈએ જે તેના સામર્થ્યથી બહાર હોય.
- શ્રીકૃષ્ણે કહ્યું કે - આ ચક્ર મને અત્યંત પ્રિય છે. તેને 12 વર્ષ સુધી કઠિન તપસ્યા કર્યા પછી મેળવ્યું છે, તેને તમે એક જ ઝાટકામાં માંગી લીધુ, એ પણ કોઈ પ્રયાસ વિના.
- શ્રીકૃષ્ણની આવી વાત સાંભળીને અશ્વત્થામા શરમ અનુભવ કરવા લાગ્યા. તે કોઈ અસ્ત્ર-શસ્ત્ર લીધા વિના જ દ્વારિકાથી ચાલ્યા ગયા.
બોધપાઠ
પોતાના પ્રયાસની સરખામણીમાં જ ફળની આશા કરવી જોઈએ. સાથે જ, કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ માંગણી કરતા પહેલા પોતાની મર્યાદાનું પણ ધ્યાન રાખવું જોઈએ.