Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીજીના પવિત્ર છોડની સાથે આ છોડ વાવવાથી લક્ષ્મીજીની કૃપા થશે

મોટાભાગના ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવવામાં આવે છે. આ તુલસીનો છોડ વાવવાથી આંગણાની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. તેની સાથે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ ધાર્મિક પૂજા-વિધિના પ્રસાદમાં તુલસીનું પાન મૂકવાથી તે પ્રસાદ પવિત્ર બની જાય છે. તુલસીનો છોડ દરેકે પોતાના આંગણામાં રાખવા તો ઇચ્છે છે, પરંતુ તે છોડની આસપાસ ક્યા છોડ રાખી શકાય? કે ક્યા છોડ ન રાખી શકાય? તુલસીનો છોડ વાવવાથી શું લાભ થાય છે તે વિશે આપણે માહિતી મેળવીએ.

તુલસી વાવવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે

ઘરમાં પૈસા હોવા છતાં પણ ઘરમાં પૈસાની તંગી રહ્યા કરતી હોય તો તુલસી સાથે અન્ય છોડને વાવો. આમ કરવાથી તમારી પરેશાનીઓ જ દૂર નહીં થાય, પરંતુ માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર હંમેશાં માટે બની રહેશે.

વાસ્તુ દોષના નિવારણ માટે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વૃક્ષ-છોડ વાવતાં સમયે જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો ઘરના બગીચામાં પણ વાસ્તુદોષ લાગી શકે છે. તેનું પરિણામ લાંબા સમય સુધી ભોગવવું પડે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યું વૃક્ષ વાવવું ?

મકાન બાંધતી વખતે તે મકાનની ડિઝાઈન વાસ્તુ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી કરીએ છીએ તે જ રીતે ઘરના આંગણામાં કે બગીચા છોડ-વૃક્ષ વાવતી વખતે વાસ્તુ મુજબ તે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવી પણ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તો તુલસી, કેળાં, ચંપા, કેતકી વગેરે વૃક્ષ-છોડ ઘરના બગીચામાં વાવવાને શુભ માનવામાં આવે છે. તેને વાવવાથી ક્યારેય ધનની અછત સર્જાતી નથી. તુલસીના છોડ પાસે કેળનું વૃક્ષ વાવવું જોઇએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથો સાથ માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે.

તુલસીની આસપાસ આ વૃક્ષ ન વાવવા જોઇએ

જે છોડ કે વૃક્ષની ડાળ કે પાનને તોડવાથી તેમાંથી દૂધ નીકળે તો એવા વૃક્ષોને ઘરની આસપાસ વાવવા જોઇએ નહીં. આવા વૃક્ષ વાવવાથી આર્થિક નુકસાન થાય છે તથા પૈસાની તંગી સર્જાય છે.

તો તમે પણ ઘર આંગણે વાવો આ પવિત્ર છોડ થશે માતા લક્ષ્મીજીની કૃપા. ધનધાન્યની થશે વૃદ્ધિ આર્થિક તકલીફો થશે દૂર. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો પણ આવશે અંત.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111308868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now