આજના આધુનીક જમાનામાં માનવ વસ્તીનો ઘણો જ વધારો જોવા મળે છે તેમજ સાથે સાથે રોડ કે રસ્તાઓ ઉપર વાહન વ્યવહારમાં પણ ઘણો જ વધારો જોવા મળે છે..
આજે કોઇ પણ નવુ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લેવુ એટલુ બધુ સહેલુ થઈ ગયુ છે કે આજ સામાન્ય માનવી કે સામાન્ય નોકરી ધંધો કરતો માનવી હોય તો પણ તેને ફકત હજાર રૂપિયા ભરીને એટલે લોનથી તાત્કાલીક ટુ વ્હીલર મળી શકે છે...આજે સાયકલનો જમાનો રહ્યો જ નથી બસ પેટ્રોલથી ચાલતા નાના ટુ વ્હીલર તેમજ નાની સામાન્ય બાઇક મેળવવી ઘણી સહેલી થઈ ગઈ છે.
તમને આવડે કે ના આવડે..અથવા તમારી પાસે લાઇસન્સ હોય કે ના હોય પણ તમે એકવાર ખરીદી ને તમારા ઘરે લાવી શકોછો. કહેવાનો અર્થ એટલો જ છે કે આમ સહેલાઇથી મળતા આવા ટુ વ્હીલર વધવાથી રોડ કે રસ્તાઓ ઉપર ટ્રાફીકની સમસ્યામાં પણ એકંદરે વધારો જોવા મળી રહ્યો છે..ને સાથે સાથે આપણી જિંદગીનો પણ હવે સલામત ઉપર એક મોટી ચિંતાનો વિષય બની જાય છે..જયાં જુઓ ત્યાં બસ ચારેય બાજુ ટ્રાફિકની બુમો સંભળાય છે..ઘરેથી ઓફીસ જવુ હોય કે ઓફિસથી ઘરે જવુ હોય તો આપણે હવે અડધો કલાક વહેલા નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
આજ કાલ ચોમાસાની સિઝન જોરશોરથી ચાલી રહી છે...જયાં જાવ ત્યાં રોડ કે રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા હોયછે..તેમજ ખાડા તો એટલા મોટા હોયછે કે વ્હીકલ ચલાવવું પણ એક અઘરુ થઈ પડે છે...રોડ રસ્તાઓ ઉપર હવે આપણી સલામતી બિલકુલ રહી જ નથી...એવામાં જો બાકી હોય તો તે છે ગાયોના ટોળાં! જયાં ને ત્યા રોડ ઉપર ગાયો આમ તેમ તેમની મરજી પ્રમાણે ફરતી જોવા મળે છે..કયારેક વચ્ચે ઉભેલી હોય તો કયારેક સમુહમાં બેઠેલી હોય..આવી ગાયોનો ત્રાસ ઘણો જ વધી ગયો છે દિવસે તો ઠીક પણ રાત્રે તો અમુક કાળી ગાયો તો ઘણીવાર નજરમાં દેખાતો પણ નથી ને ત્યારે એકસીડન્ટનો શિકાર તે અથવા તો વ્હીકલ ચલાવનાર બની જતા હોયછે! કારણકે રોડ ઉપર લાઇટો હોતી નથી ને કમજોર દ્રષ્ટિવાળા આવા એકસીડન્ટનો શિકાર બનતા હોયછે..આ માટે શહેરના દરેક તંત્રએ આની ખાસ નોંધ લેવી જોઇએ..પણ કોને આની પડી હોયછે! આમાં તો વ્હીકલ ચલાવનારાઓએ જ કાળજી રાખવાની જરુર છે..આવ્યા ને ગયા સલામત તો ઠીક નહી તો ભાગ્યા તમારા હાથ પગ...ગાયો એક એવુ પ્રાણી છે કે તેને ગંદકી ગમતી નથી ખાવા પીવા તે ગમે ત્યા જશે પણ ઉભા રહેવા કે બેસવા માટે તેને કોરી જમીન જોઇએ...એતો સે કોઇ જાણતા હશો તેથી જ તે રોડ ઉપર આવીને ઉભી રહેછે અથવા બેસી જાયછે...ઉપરથી ગાય એ ક્રુષ્ણ ભગવાનનું વાહન કહેવાય આપણને વાગે તો ઠીક પણ તેને વાગવુ ના જોઇએ..એવી પણ આપણી માન્યતા હોયછે માટે આપણે તેને બચાવતા બચાવતા આગળ વધીએ છીએ...ચાલો એ તો આપણે સમજ્યા કે ગાય એ એક માતાનું જ સ્વરુપ છે પણ કેટલેક સુધી! આપણી પણ આનાથી સલામતી જોખમાય છે..તેથી જ તંત્રએ જ તેનુ ધ્યાન આપવુ જોઇએ જેથી વાહન ચાલકોને કોઇ જાતની તકલીફ ના પડે..આગળ પછી તો છે ને બચાવનારો આપણો ક્રુષ્ણ ભગવાન..હજાર હાથવાળો!!!!