?વિધાયક દષ્ટિકોણ?
એક રાજા ને એક મૂર્તિકારે ત્રણ સુંદર મૂર્તિઓ ભેંટ આપી હતી રાજા ને તે અતિશય પ્રિય હતી એક દિવસ એક રાજસેવકથી સફાઈ કરતાં કરતાં તુટી ગઈ. રાજાને આ સમાચાર આપવામાં આવ્યાં તો રાજાયે ક્રોધમાં આવીને સેવકને મુત્યુદંડની સજા ફટકારી દીધી સજા સાંભળતાં સેવકે બાકીની બંને મૂર્તિ તોડી નાખી જ્યારે આ વાત રાજા ને જણાવવામાં આવી તો તેને બહુજ આશ્ર્ચર્ય થયું. તેણે સેવકને બોલાવીને તેને આમ કરવાનું કારણ પૂછયું તો સેવકે કહ્યું , "મહારાજ ! મૂર્તિઓ તો માટીની બનેલી હતી, તેણે કોઈક દિવસ તો તૂટવાનું જ હતું જેનાથી તૂટત તે મુત્યુદંડ પામત. મન તો મુત્યુદંડ મળી જ ચુક્યો હતો, તો મેં વિચાર્યું કે હું શું કામ બીજાનું જીવન ન બચાવી લઉ. આમાં કમ સે કમ એક જ વ્યક્તિ સજા પામશે પણ બીજી બે વ્યક્તિનું જીવન તો સુરક્ષિત રહીં જશે. આમ વિચારીને મેં બીજી બંને મૂર્તિઓ તોડી નાખી. "સેવકની વાત સાંભળીને રાજા ની આંખો ખૂલી ગઈ. તેમણે તરત જ સેવકની સજા માફ કરીને તેને ઉચ્ચ પદ પ્રદાન કરી દીધું
?બોધ. મિત્રો જીવનમાં જે બીજાનું સારું ઈચ્છે છે *નીસંદેહ* તેમનું સારું ભગવાન કરેછે