#kavyotsav -2
.?કર્મ?
ફ્ળ મળે કે ના મળે,
તું બસ તારું કર્મ કર.
આંસુ લુંછી કોઈ આંખના,
ઉર એને આંનદ તું ભર.
ચીંધી રાહ ભટક્યાને તું
મંઝિલ એની આસાન કર.
નાથ બની શકે અનાથનો,
જીવન કોઈ ઉજાગર કર.
અન્યાય સામે કરી લડત,
સાચો સલાહકાર તું બન.
ભૂખ્યાને અન્ન,તરસ્યાને જળ
કામ છે પુણ્યનું થાય તો કર.
જીવન ધન્ય બને,મરણ સરળ,
કરી સત્કર્મ તણું ભાથું તું ભર.
જાગૃતિ રાઠોડ