માનવગાડી
જીવનરૂપી માનવગાડીના પૈડા ચાર,
નથી કોઈને ખબર, આ માનવગાડી ક્યાં અટકશે ?
કુંપળ સમું આ બાળપણ સૌને લાગતું વ્હાલું,
ફૂલ શી ખીલતી યુવાનીની વસંત સૌ માણતું,
થડ શી પ્રૌઢાવસ્થાની જવાબદારી સૌ નિભાવે,
પાનખરને સૌ માનવો શા કારણે ધિક્કારે ?....... જીવનરૂપી માનવગાડી
નથી કોઈ જડીબુટ્ટી આ પાનખરને રોકવાની,
બંધાય છે ઘરો અનેક, આ પાનખરે પહોચેલા માટે,
ધક્કો મરાય છે! જ્યારે જન્મદાતાને અહી,
નિકળે છે નિ:શ્વાસ, માત્રુ- પિતૃ હૃદય મહી,
જાણે છે માનવ કે, પાનખર તો એને પણ આવવાની.
જીવનરૂપી માનવગાડીના પૈડા ચાર.
રચનાકાર -રક્ષા મામતોરા