સુખ કે દુઃખને અભિવ્યક્ત કરે છે પ્રસંગ આપણો.
હર્ષ કે શોકની લાગણી મનમાં ભરે છે પ્રસંગ આપણો.
પરિસ્થિતિને અનુરુપ હોય છે આનંદ કે અફસોસ,
સારા પ્રસંગોએ ઉત્સાહ સંચારે છે પ્રસંગ આપણો.
સગા સંબંધી, મિત્રો, પ્રિયપરિવારજન કે આત્મીય,
સૌ સંગાથે સહકારથી કેવો શોભે છે પ્રસંગ આપણો.
નાનાં મોટાંના ભૂલી જઈ ભેદભાવને સૌ ઉજવે છે,
એકમેકના મતભેદ મૂકી નૈકટ્ય વધારે છે પ્રસંગ આપણો.
વધે છે પરિચય આપસમાં પ્રસંગોપાત મળવાનું થતાં,
માઠા પ્રસંગે ધીરજને હિંમત પૂરે છે પ્રસંગ આપણો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '